કોરોના વાયરસઃ દિલ્લીમાં પહેલુ મોત, ડાયાબિટીઝ-હાઈપરટેન્શન પીડિત હતા મહિલા
દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં 69 વર્ષના મહિલાનુ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થઈ ગયુ.
ભારતમાં કોરોના વાયરસના કેસોને હાલમાં સતત વધી રહ્યા છે. શુક્રવારે દિલ્લીમાં કોરોના વાયરસથી પહેલુ મોત સામે આવ્યુ જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થઈ ચૂક્યા છે. દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં 69 વર્ષના મહિલાનુ કોરોના વાયરસના સંક્રમણના કારણે મોત થઈ ગયુ. મહિલાનુ મોત રાતે 8 વાગે દિલ્લીની આરએમએલ હોસ્પિટલમાં થયુ. વળી, આરોગ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ મહિલાને અન્ય બિમારીઓ પણ હતી.

ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન સામે લડી રહ્યા હતા મહિલા
આરએમએલના ડૉક્ટરોએ મહિલાના આરોગ્ય વિશે જણાવ્યુ કે તે મહિલા ડાયાબિટીઝ અને હાઈપરટેન્શન સામે પણ લડી રહ્યા હતા. આરોગ્ય મંત્રાલયે આ અંગે જણાવ્યુ કે મહિલાને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી અને તેમને વેંટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. આ મહિલા પશ્ચિમ દિલ્લીના રહેવાસી હતી. આ મહિલાના દીકરાને કોરોના વાયરસ પૉઝિટિવ આવ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મહિલાના દીકરાએ 5થી 22 ફેબ્રુઆરી વચ્ચે સ્વિટ્રલેન્ડ અને ઈટલીની યાત્રા કરી હતી. આ વ્યક્તિ 23 ફેબ્રુઆરીએ દિલ્લી પાછો આવ્યો હતો.
|
મહિલાને કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો
શરૂઆતમાં આ યુવકના શરીરમાં બિમારીના કોઈ લક્ષણ મળ્યા નહોતા પરંતુ બાદમાં તાવ અને કફની તકલીફ થઈ તો 7 માર્ચે યુવક આરએમએલ હોસ્લપિટલમાં ભરતી થયો હતો. ડૉક્ટરોનુ કહેવુ છે કે યુવક અને તેની મા બંનેને ખૂબ જ તાવ અને કફ હતો. 8 માર્ચે મહિલાનુ સેમ્પલ લેવામાં આવ્યુ હતુ અને 9 માર્ચે મહિલાની તબિયત વધુ બગડી ગઈ હતી અને ન્યૂમોનિયા થઈ ગયો. ત્યારબાદ મહિલાને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાને કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.

મહિલાના દીકરો પણ કોરોના વાયરસથી સંક્રમિત
આ પહેલા દેશમાં કોરોના વાયરસના મોતનો પહેલો કેસ કર્ણાટકના કલબુર્ગીમાં આવ્યો હતો જ્યાં 76 વર્ષના વૃદ્ધનુ કોરોના વાયરસના કારણે મોત થઈ ગયુ હતુ. મૃતક 29 ફેબ્રુઆરીએ સઉદી અરબની યાત્રાએથી પાછો આવ્યો હતો. હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હરતુ પરંતુ એ દરમિયાન વૃદ્ધમાં કોરોના વાયરસ જેવા લક્ષણની ઓળખ થઈ શકી નહોતી, તે શંકાસ્પદ દર્દીઓમાં શામેલ હતો. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી દેશમાં કોરોના વાયરસના 82 કેસ સામે આવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
