દિલ્લીમાં કોરોનાએ વેગ પકડતા CM કેજરીવાલે કહ્યુ - અમે 3 મહિનામાં આખી દિલ્લીને વેક્સીન લગાવી શકીએ
દિલ્લીમાં કોવિડ-19ના વધતા કેસોને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં બધી ઉંમરના લોકો માટે કોરોના વેક્સીન લગાવવાની વાત કહી છે.
નવી દિલ્લીઃ ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. આ સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પણ કોરોના વાયરસના મામલે ઝડપથી વધી રહ્યા છે. દિલ્લીમાં ગુરુવારે(18 માર્ચ) એક દિવસમાં 607 નવા કોવિડ-19ના કેસ સામે આવ્યા છે. આ પહેલા વર્ષ 6 જાન્યુઆરી 2021ના રોજ દિલ્લીમાં 654 કોરોના કેસ સામે આવ્યા હતા. દિલ્લીમાં કોવિડ-19ના વધતા કેસોને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં બધી ઉંમરના લોકો માટે કોરોના વેક્સીન લગાવવાની વાત કહી છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે તે ત્રણ મહિનામાં ચાર ગણુ કામ કરવા આખી દિલ્લીને વેક્સીન લગાવી શકે છે. સીએમ અરવિંદ કેજરીવાલે આના માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે કહ્યુ, 18 વર્ષથી ઓછી ઉંમર અને અમુક મેડિકલ કંડીશનવાળા લોકોને છોડીને બધા માટે અમે કોરોના વેક્સીનેશન શરૂ કરી દેવુ જોઈએ. જો આજે કેન્દ્ર સરકાર આ રોક હટાવી દે તો અમે 3 મહિનાની અંદર આખી દિલ્લીને વેક્સીન લગાવી શકીએ છીએ. ત્રણ મહિનામાં આખી દિલ્લીને કોરોના વેક્સીન લગાવવામાં આવશે તેની યોજના વિશે સીએમ કેજરીવાલે જણાવ્યુ કે દિલ્લીને વેક્સીનેશન માટે અમારી સરકાર યુદ્ધના ધોરણે કામ કરશે. સીએમ કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં વેક્સીનેશન યુદ્ધ સ્તરે લાગશે.
હવે 30,000થી વધાને પ્રતિ દિવસ 1.25 લાખ લોકોને વેક્સીન લગાવવામાં આવશે. વેક્સીનેશન સેન્ટરને પણ 500થી ડબલ કરીને એક હજાર કરી દેવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકારને અપીલ છે કે વેક્સીનેશન ગાઈડલાઈન્સમાં થોડી રાહત આપે જેથી વધુને વધુ વેક્સીનેશન સેન્ટર ખોલી શકાય. સીએમ કેજરીવાલે કહ્યુકે દેશમાં વધતા કોરોના કેસોને જોતા દિલ્લીમાં કોરોના કેસોમાં સામાન્ય વધારો થયો છે. જો કે ગભરાવાની કોઈ વાત નથી. અમારી સરકાર આના માટે જરૂરી બધા પગલાં લઈ રહી છે. આખી દિલ્લીમાં કોરોના ટ્રેકિંગ, ટ્રેસિંગ અને હોમ આઈસોલેશનને કડકાઈથી લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સીએમ કેજરીવાલે લોકોને અપીલ કરી છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ કડકાઈથી પાલન કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
