કુન્નૂર હેલીકૉપ્ટર દૂર્ઘટનામાં શહીદ 6 અધિકારીઓની થઈ ઓળખ, સૈન્ય સમ્માન સાથે થશે અંતિમ સંસ્કાર
હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય વાયુ સેના(આઈએએફ)ના ચાર અધિકારીઓ અને ભારતીય સેનાના બે સૈનિકોના શબોની ઓળખ થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ તમિલનાડુના કુન્નૂર પાસે હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં માર્યા ગયેલા ભારતીય વાયુ સેના(આઈએએફ)ના ચાર અધિકારીઓ અને ભારતીય સેનાના બે સૈનિકોના શબોની ઓળખ થઈ ગઈ છે. 8 ડિસેમ્બરના રોજ કુન્નૂર શહેર પાસે ભીષણ એમઆઈ-17વી5 હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં હેલિકૉપ્ટરમાં સવાર કુલ 14 અધિકારીઓ અને કર્મીઓમાંથી 13ના મોત થઈ ગયા. મરનારામાં ભારતના પહેલા ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ(સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાજે સિંહ રાવત અને સીડીએસના રક્ષા સહાયક બ્રિગેડિયર એલએસ લિડર શામેલ છે. આ ઉપરાંત એરફોર્સના 4 અધિકારીઓ અને ભારતીય સેનાના 2 જવાનો સહિત કુલ 6ની ઓળખ થઈ ગઈ છે.

કુન્નૂર હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાંડર પૃથ્વી સિંહ ચૌહાણ(પાયલટ), સ્કવૉડ્રન લીડર કુલદીપ સિંહ(સહ-પાયલટ), જુનિયર વારંટ અધિકારી રાણા પ્રતાપ દાસ, અરક્કલ પ્રદીપ, હવાલદાર સતપાલ રાય, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, વિવેક કુમાર, બી સાઈ તેજા બધા લાંસ નાયક છે. એએનઆઈના જણાવ્યા મુજબ સેનાએ એ પણ કહ્યુ, લાંસ નાયક વિવેક કુમાર અને લાંસ નાયક બી સાઈ તેજાના નશ્વર અવશેષોની પૉઝિટિવ ઓળખ કરવામાં આવી છે.
એએનઆઈએ સેનાના એક અધિકારીના હવાલાથી કહ્યુ, 'નશ્વર અવશેષ આજે સવારે(11 ડિસેમ્બર)ના રોજ પરિવારના નજીકના સભ્યો માટે મોકલી દેવામાં આવશે. યોગ્ય સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને હવાઈ માર્ગથી લઈ જવામાં આવશે. પ્રસ્થાન પહેલા બેસ હૉસ્પિટલ, દિલ્લી છાવણીમાં માલ્યાર્પણ કરવામાં આવશે.'
અધિકારીઓએ શુક્રવારે કહ્યુ કે બધા 10 કર્મીઓના પરિવારના સભ્યો અવશેષોની ઓળખ કરવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા છે. એક અધિકારીએ કહ્યુ, 'પરિવારના સભ્યોની ભાવનાત્મક ભલાઈ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. માટે અમે આમાં શામેલ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ઓળખ પ્રક્રિયાને આગળ વધારી રહ્યા છે.'
જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને તેમના બ્રિગેડિયર લિડરનુ દિલ્લીના બરાર સ્કવૉયર સ્મશાનમાં પૂરા સૈન્ય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે કારણકે તેમના શબોની ઓળખ કરવામાં આવી હતી. કુન્નૂર હેલિકૉપ્ટર દૂર્ઘટનામાં એકમાત્ર જીવિત બચેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બેંગલુરુની આઈએએફ હૉસ્પિટલમાં લાઈફ સપોર્ટ પર છે. આ દૂર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. બિપિન રાવત વેલિંગટનમાં પ્રતિષ્ઠિત રક્ષા સેવા સ્ટાફ કૉલેજ(ડીએસએસસી)ના પ્રવાસે હતા અને ત્યાં તે ફેકલ્ટી અને છાત્ર અધિકારીઓને સંબોધિત કરવા માટે ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
