Santokh Singh Chaudhary Profile: કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ વ્યવસાયે હતા વકીલ, બે વાર જીત્યા ચૂંટણી
પંજાબમાં કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનુ ભારત જોડો યાત્રામાં નિધન થઈ ગયુ. તેઓ વ્યવસાયે વકીલ હતા અને બે વાર ચૂંટણી જીત્યા હતા.
Santokh Singh Chaudhary Passes Away: પંજાબમાં ચાલી રહેલી કોંગ્રેસની ભારતની જોડો યાત્રામાં આજે શનિવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા. આ યાત્રામાં રાહુલ ગાંધીની સાથે ચાલી રહેલ કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીની તબિયત અચાનક બગડી ગઈ. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા. પ્રારંભિક તપાસમાં તેમને હાર્ટ એટેક આવ્યાનુ ડૉક્ટરોએ જણાવ્યુ.

સંતોખ સિંહ ચૌધરી હાલમાં જલંધરથી સાંસદ હતા અને ત્યાંના લોકોમાં તેમની સારી પકડ હતી. તેમનો જન્મ 18 જૂન 1946ના રોજ જલંધરના ધાલીવાલમાં થયો હતો. ત્યાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તે પછી તેઓ રાજકારણમાં આવ્યા. વર્ષ 2014 અને 2019માં જ્યારે દેશભરમાં પીએમ મોદીની લહેર હતી ત્યારે પણ તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતીને પાર્ટીમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ. તેઓ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
પંજાબમાં ભારત જોડો યાત્રા ત્રીજા દિવસે ચાલી રહી છે. આ યાત્રા શનિવારે સવારે 7 વાગે લાડોવાલ ટોલ પ્લાઝાથી શરૂ થઈ હતી. જ્યારે ભારત જોડો યાત્રા લુધિયાણાથી ફગવાડા તરફ જઈ રહી હતી ત્યારે સંતોખ પણ કદમતાલ મિલાવી રહ્યા હતા પરંતુ અચાનક તેમના ધબકારા વધી ગયા. તેમના સુરક્ષાકર્મીઓ અને કોંગ્રેસના કાર્યકરો તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ યાત્રાને લઈને તેમના અપડેટ્સ લેતા રહ્યા પરંતુ થોડી જ વારમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે અમારા સાંસદ સંતોખ સિંહ ચૌધરીના અકાળે અવસાન વિશે જાણીને ખૂબ જ આઘાત અને દુઃખ થયુ. તેમની વિદાય પાર્ટી અને સંગઠન માટે મોટો ફટકો છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, મિત્રો અને અનુયાયીઓ સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
