પાર્ટીથી નારાજ સંજય નિરુપમે કહ્યુ, 'મિલિંદ દેવડા નપાવટ વ્યક્તિ, પાર્ટીને ખતમ કરી દીધી'
સંજય નિરુપમે કહ્યુ કે મિલિંદ દેવડા એક નપાવટ વ્યક્તિ છે. તે મહારાષ્ટ્રમા કોંગ્રેસને ખતમ કરવાનુ કામ કરી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને તગડો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાં ટિકિટ વહેંચણીથી નારાજ સંજય નિરુપમે પોતાને ચૂંટણી પ્રચારથી અલગ કરી દીધા છે. આ પહેલા નિરુપમે ટ્વિટ કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી હતી. હવે એક ટીવી ચેનલ સાથે વાત કરીને સંજય નિરુપમે મુંબઈ કોંગ્રેસ ચીફ મિલિંદ દેવડા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સંજય નિરુપમે કહ્યુ કે મિલિંદ દેવડા એક નપાવટ વ્યક્તિ છે. તે મહારાષ્ટ્રમા કોંગ્રેસને ખતમ કરવાનુ કામ કરી રહ્યા છે.

વાસ્તમાં ટીવી એંકરે જ્યારે સંજય નિરુપમને સવાલ પૂછ્યો કે શું તમારા અને દેવડાજી વચ્ચે પાર્ટી વહેંચાઈ ગઈ છે. આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યુ કે મિલિંદ દેવડા એક નપાવટ વ્યક્તિ છે. તે માણસે મને હટાવવા માટે ષડયંત્ર રચ્યુ છે. તેણે છેલ્લા પાંચ મહિનામાં આખી પાર્ટીનુ સત્યાનાશ કરી દીધુ. એટલુ જ નહિ કોંગ્રેસ તરફથી જાહેર કરાયેલ ઉમેદવારોના નામો પર પણ સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યુ કે મે પાર્ટીને માત્ર એક ટિકિટની ભલામણ કરી હતી જેને માનવામાં આવી નહિ. લોકસભા ચૂંટણી દરમિયાન પણ આવુ થયુ હતુ. આનાથી લાગે છે કે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી એટલા માટે હું પોતાને ચૂંટણી અભિયાનથી અલગ કરી રહ્યો છુ. નિરુપમે કહ્યુ કે મુંબઈમાં 36 સીટો છે અને મે પોતાના મતવિસ્તારમાં એક સીટ માટે બધા વરિષ્ઠ નેતાઓને પૂછ્યુ હતુ, હું તેમને એક યોગ્ય ધારાસભ્ય આપીશ, જેણે ગઈ લોકસભા ચૂંટણીમાં આકરી મહેનત કરી હતી.
Sanjay Nirupam,Congress: And today I got to know that they are rejecting the name I had recommended. That implies the party does not need my services, and if party does not need my services then it's better that I withdraw from the election campaign. 2/2 #MaharashtraAssemblyPolls https://t.co/NRkryU382G
— ANI (@ANI) 3 October 2019
નિરુપણ આટલેથી ન રોકાયા તેમણે આગળ કહ્યુ તે આજે મને ખબર પડી કે તે મારા દ્વારા સૂચવાયેલા નામોનો અસ્વીકાર કરી રહ્યા છે. તાત્પર્ય એ છે કે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી અને જો પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી, તો સારુ એ છે કે હું ચૂંટણી અભિયાનથી હટી જઉ. આ મારો અંતિમ નિર્ણય છે. જો કે હજુ પાર્ટીને ગુડ બાય કહેવાનો સમય નથી આવ્યો પરંતુ પાર્ટી નેતૃત્વ મારી સાથે જે રીતનો વ્યવહાર કરી રહ્યુ છે તેનાથી લાગે છે કે તે દિવસ પણ વધુ દૂર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
