કોંગ્રેસ એમનુ ધ્યાન રાખે જે પાર્ટી પ્રત્યે વફાદાર છે, સોનિયા ગાંધી પર પૂરો ભરોસોઃ રાજસ્થાનના મંત્રી મહેશ જોશી
રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય મંત્રી મહેશ જોશીએ સોમવારે(26 સપ્ટેમ્બર) વહેલી સવારે કહ્યુ કે...
જયપુરઃ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય મંત્રી મહેશ જોશીએ સોમવારે(26 સપ્ટેમ્બર) વહેલી સવારે કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે પાર્ટી એવા લોકોની સંભાળ રાખે જેઓ કોંગ્રેસને વફાદાર રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે દરેક ધારાસભ્યને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પર વિશ્વાસ છે કે તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. મંત્રી મહેશ જોશીએ કહ્યુ, 'દરેક ધારાસભ્યને વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીમાં પૂરો વિશ્વાસ છે. અમે અમારી વાત કરી છે અને આશા રાખીએ છીએ કે જ્યારે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે ત્યારે અમારી માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે પાર્ટી એવા લોકોનુ ધ્યાન રાખે જેઓ કોંગ્રેસને વફાદાર રહ્યા છે.

90 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપ્યુ
રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીના ઘરેથી કોંગ્રેસના તમામ ધારાસભ્યો તેમના ઘરે જવા રવાના થઈ ગયા છે. આ પહેલા રવિવારે સોનિયા ગાંધીએ નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને રાજસ્થાનના ધારાસભ્યો સાથે સામ-સામે વાતચીત કરવાનો નિર્દેશ આપ્યો હતો. બંને નિરીક્ષકો લગભગ 90 ધારાસભ્યોને મળવાની અપેક્ષા છે જેમણે સ્પીકરને તેમના રાજીનામા સુપરત કર્યા છે.
'અમે ધારાસભ્યો સાથે વાત કર્યા વિના દિલ્લી નહિ જઈએ'
અજય માકને કહ્યુ, 'અમે અત્યારે દિલ્લી નથી જઈ રહ્યા, અમને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યો સાથે રૂબરૂ વાતચીત કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમે આજે રાત્રે તેમને મળીશુ.' કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યુ કે વસ્તુઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. વેણુગોપાલે કહ્યુ કે, 'ના તો મે સીએમ અશોક ગેહલોત સાથે વાત કરી અને ના તો તેમણે મને ફોન કર્યો, જલ્દી જ બધુ ઉકેલાઈ જશે.'
આ દરમિયાન રાજસ્થાનના અસંતુષ્ટ મંત્રીઓ પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને શાંતિ ધારીવાલે CM અશોક ગેહલોતના નિવાસસ્થાને AICC નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા રાજ્યના ધારાસભ્ય પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યુ હતુ કે તમામ ધારાસભ્યો નારાજ છે અને રાજીનામુ આપી રહ્યા છે કારણ કે નિર્ણય પહેલા તેમની સાથે ચર્ચા કરવામાં આવી ન હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
