અયોધ્યામાં બનશે ભગવાન રામની 100 મીટર ઉંચી પ્રતિમા
અયોધ્યામાં બનશે ભગવાન રામની 100 મીટર ઉંચી પ્રતિમા
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર અયોધ્યામાં દીપોત્સવનું ભવ્ય આયોજન કરવા જઈ રહી છે. આ અવસરે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથની સાથે ડઝનેક મંત્રીઓ, અધિકારીઓ પણ જોવા મળશી. ઉપરાંત અહેવાલ મળી રહ્યા છે કે સીએમ યોગી આદિત્યનાથ કેટલીય મોટી ખુશખબરી આપી શકે છે.

સીએમ યોગીએ અયોધ્યા માટે એક યોજના તૈયાર કરી
કેટલાક ભાજપના નેતાઓના નિવેદનો પર ધ્યાન આપીએ તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિર મુદ્દા પર બાહોલ બનાવવાની શરૂઆત કરી દીધી છે, ખાસ કરીને તેવા સમયે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાના પ્રવાસમાં માત્ર ત્રણ દિવસ જ રહી ગયા છે. યુપી ભાજપના અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેએ શુક્રવારે કહ્યું, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સંત છે. એમણે અયોધ્યા માટે એક યોજના તૈયાર કરી છે. તેઓ દિવાળી પર મંદિર સાથે જોડાયેલ ગુડ ન્યૂઝ આપશે. દીપોત્સવ દરમિયાન યોગી અયોધ્યામાં તેની ઘોષણા કરશે.

મહેન્દ્ર નાથ પાંડેએ પણ સંકેત આપ્યા
શુક્રવારે જ આરએસએસ નેતા ભૈયાજી જોશીએ કહ્યું હતું કે સંઘ 1990ના રથ યાત્રા જેવા અભિયાન ચલાવવા માટે તૈયાર હતું, તેનાથી કેટલીક કલાકો બાદ મહેન્દ્ર નાથ પાંડેયનું નિવેદન આવ્યું. તેઓ ચંદોલીમાં એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા હતા જ્યાં એમણે દીપોત્સવને લઈને સીએમ યોગીના અયોધ્યા પ્રવાસ વિશે વાત કરી.

શ્રી રામની ભવ્ય પ્રતિમાને લઈ ઘોષણા થઈ શકે
સીએમ યોગીએ કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે અયોધ્યા વિવાદને જલદી જ ઉકેલવો જોઈએ. એમણે કહ્યું હતું કે જો ન્યાય યોગ્ય સમયે મળે તો સારું છે નહિતર મોડેથી મળેલ ન્યાય અન્યાય બરાબર છે. એક અન્ય ભાજપના નેતાએ કહ્યું કે સીએમ યોગી અયોધ્યામાં સંગ્રહાલય, આર્ટ ગેલેરી, અયોધ્યામાં એપોર્ટ વિશે ઘોષણા કરશે. તેઓ અયોધ્યામાં સરયૂ નદીના તટ પર શ્રી રામની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાનું પણ એલાન કરી શકે છે. આ મૂર્તિ 100 મીટર ઉંચી હશે જેને બનાવવામાં 330 કરોડનો ખર્ચ કરવમાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
