કરનાલ રેલી બાદ બોલ્યા સીએમ ખટ્ટર, કોઈપણ કિંમતે કૃષિ કાનૂન પરત નહી ખેંચે
કરનાલ રેલી બાદ બોલ્યા સીએમ ખટ્ટર, કોઈપણ કિંમતે કૃષિ કાનૂન પરત નહી ખેંચે
હરિયાણાના કરનાલમાં ખેડૂતોના વિરોધને પગલે પોતાની રેલ રદ્દ કરવા મજબૂર થયેલ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિપક્ષ પર પલટવાર કરતાં પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા બગાડવાનો આરોપ લગાવ્યો છે. મનોહર લાલ ખટ્ટરે પોતાની રેલી રદ્દ થયા બાદ પ્રેસ કોન્ફ્રેન્સ કરતાં કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ અને કિસાન સંગઠનના નેતા ગુરનામ સિંહ ચઢૂની પ્રદેશની જનતાને કાનૂન વ્યવસ્થા બગાડવા માટે ઉકસાવી રહ્યા છે. ખટ્ટરે કહ્યું કે આ લોકો સારી રીતે સમજી લે કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાનૂનોમાં સંશોધન માટે તૈયાર છે, પરંતુ કાયદા પરત નહિ લેવાય.

કરનાલ રેલી રદ્દ થયા બાદ ચંદીગઢમાં આયોજિત પ્રેસ કોન્ફ્રેન્સમાં સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, નવા કૃષિ કાયદા સંપૂર્ણપણે ખેડૂતોના હિતમાં છે અને કેન્દ્ર સરકાર તે પરત નહિ ખેંચે. આ વાત એકદમ નિશ્ચિત છે. આમાં ભલે રાજ્ય સરકારોને છૂટ આપવામાં આવે, પરંતુ ત્યારે પણ આ કાયદાઓમાં માત્ર સંશોધન જ થશે. જો કૃષિ કાયદાના કેટલાક પ્રાવધાનોને લઈ ખેડૂતોને વાંધો હોય તો તેને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે. પરંતુ મને નથી લાગતું કે સરકારે આ કાનૂન પરત લેવા જઈ રહી છે. મને પૂરી ઉમ્મીદ છે કે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીત સાચી દિશામાં જઈ રહી છે અને માટે બેઠકની આગલી તારીખ નક્કી કરવામાં આવી છે.
મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે સરકાર તરફથી જ્યારે પણ કોઈ નવી યોજના બનાવવામાં આવે છે તો તેના સકારાત્મક પરિણામ આવવામાં થોડો સમય લાગે છે. આપણે થોડા સમયનો ઈંતેજાર કરવો જોઈએ, જો છતાં પણ કૃષિ કાનૂનમાં કોઈ કમીઓ રહે છે તો આપણે સરકાર પાસે જઈ શકીએ છીએ. મારું માનવું છે કે કૃષિ કાનૂનોમાં કોઈ પ્રકારનો કોઈ વાંધો નથી. મંડીઓની વ્યવસ્થા છે, એમએસપીની પણ વ્યવસ્થા છે અને આગળ પણ ચાલુ રહેશે. ખેડૂતોને બસ વિકલ્પ આપવામાં આવ્યા છે કે તેઓ પોતાના પાકને ગમે ત્યાં વેચી શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
