Chhattisgarh Elections : છત્તીસગઢની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે આપ, સંદિપ પાઠકે સંભાળ્યો ચાર્જ
Chhattisgarh Elections : છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પોતાની નવી ટીમ બનાવી લીધી છે. શનિવારના રોજ પાટનગર રાયપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના નવનિયુક્ત પદાધિકારીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શામેલ થયેલા રાજ્યસભા સાંસદ ડૉ. સંદિપ પાઠકેૉને ઘણા મુદ્દા બાબાતે મીડિયા સાથે વાતચીત કરી હતી.

AAP 90 સીટો પર ચૂંટણી લડશે - ડૉ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP છત્તીસગઢની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. સાંસદ સંદીપે જણાવ્યું હતું કે, દંતેવાડામાં 10 જવાનો શહીદ થયા છે. આવી ઘટનાઓ મનને ખૂબ દુઃખી કરે છે, રોષ પેદા કરે છે.
કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં ડઝનબંધ જવાનો શહીદ થયા છે, પરંતુ સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી નથી.
નક્સલવાદી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્થાનિક સમસ્યાઓ અંગે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે સમસ્યાઓ રહે છે. AAP સાંસદ દ્વારા દિલ્હી અને પંજાબ સરકારની તર્જ પર નક્સલવાદી ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 1 કરોડ રૂપિયાના માનદ રકમની પણ માંગ કરવામાં આવી હતી.
કેજરીવાલ પાસેથી ઘર છીનવી લો - ભાજપ પર કટાક્ષ કરતા AAP સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન 80 વર્ષ જૂનું નાનું હતું. જાહેર બાંધકામ વિભાગે જણાવ્યું હતું કે, મકાનનું રિનોવેશન થઈ શક્યું નથી.
મુખ્યમંત્રી આવાસને લઈને કોઈ જોખમ ન લઈ શકાય તેમ કહીને આખું ઘર નવેસરથી બનાવવાની વાત થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો ન હોવાથી તે તેને મુદ્દો બનાવવામાં વ્યસ્ત છે.
AAP સાંસદે ટોણો માર્યો કે, જો ભાજપને લાગે છે કે, કેજરીવાલનું ઘર ખૂબ જ શુભ છે, જેના કારણે તેઓ વારંવાર મુખ્યમંત્રી બની રહ્યા છે, તો તેમણે આ ઘર છીનવી લેવું જોઈએ.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
