ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યપાલને સોપ્યુ રાજીનામુ, શપથ ગ્રહણ સુધી કાર્યકારી સીએમ તરીકે કરશે કામ
પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો ગુરુવારે બહાર આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું. બીજી તરફ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી હાર્યા બાદ રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ બીએલ
પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો ગુરુવારે બહાર આવ્યા, જેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવ્યું. બીજી તરફ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ ચૂંટણી હાર્યા બાદ રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ બીએલ પુરોહિતની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે ચરણજીત સિંહ ચન્નીએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું કે મેં મારું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. તેમણે મને અને કેબિનેટને નવી સરકાર શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા કહ્યું. હું જનતાનો આદેશ સ્વીકારું છું. આ સિવાય ચન્નીએ કહ્યું કે અમે લોકો વચ્ચે કામ કરવાનું ચાલુ રાખીશું. તેમણે કહ્યું કે અમે નવી સરકારને સસ્તી વીજળી, પેટ્રોલ-ડીઝલ અને રેતીના દરમાં ઘટાડો, એરિયર્સ માફી જેવા નિર્ણયોને યથાવત રાખવા વિનંતી કરી છે. પંજાબના લોકોએ પરિવર્તન માટે વોટ આપ્યો છે. અમે આશા રાખીએ છીએ કે તેમણે લોકોને જે સપનું બતાવ્યું હતું તેને અમે પૂર્ણ સહકાર આપીશું.
I have given my resignation to the Governor. He told me and the cabinet to continue until the new Government is sworn in. I accept the people's mandate: Outgoing Punjab CM Charanjit Singh Channi in Chandigarh#PunjabElections2022 pic.twitter.com/mZ4UHPEAzm
— ANI (@ANI) March 11, 2022
તમને જણાવી દઈએ કે તેઓ ભગવંત માનના શપથ ગ્રહણ સમારોહ સુધી કાર્યકારી સીએમ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. રાજ્યપાલ બીએલ પુરોહિતે તેમને નવી સરકાર આવે ત્યાં સુધી કામ કરવા કહ્યું છે. જણાવી દઈએ કે ચરણજીત સિંહ ચન્નીએ બે વિધાનસભા સીટો પર દાવો કર્યો હતો પરંતુ બંને સીટો પર તેમનો પરાજય થયો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
