કોણ છે ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી? શું કરે છે કામ? કેવી રીતે કરે છે કરોડોમાં કમાણી?
Chandrababu Naidu Wife (Nara Bhuvaneshwari): તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી હાલમાં ચર્ચામાં છે. વાસ્તવમાં, ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જીત્યાના માત્ર 5 દિવસમાં જ તેમની પત્ની અને પુત્રની સંપત્તિમાં 579 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ ચમત્કાર માત્ર નાયડુની કંપની હેરિટેજ ફૂડ્સના કારણે થયો છે, જેણે 5 દિવસમાં ચંદ્રાબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં અનેકગણો વધારો કર્યો છે. એટલું જ નહીં, આ કંપનીના રોકાણકારોએ પણ અઢળક કમાણી કરી છે.

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ચંદ્રાબાબુ નાયડુની હેરિટેજ ફૂડ્સ કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. હેરિટેજ ફૂડ્સના શેરની કિંમત 31 મે, 2024 ના રોજ પ્રતિ શેર રૂ. 402.90થી વધીને પાંચ દિવસમાં રૂ. 659 પ્રતિ શેર થઈ ગઈ હતી. આ ઉછાળા પછી પ્રતિ શેર 256.10 રૂપિયાનો નફો થયો હતો.
ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી તેમની કંપનીમાં મોટી શેરહોલ્ડર છે, તેથી તેમની સંપત્તિમાં પણ વધારો થયો અને તે ચર્ચામાં આવી. દરમિયાન દરેક વ્યક્તિ નારા ભુવનેશ્વરી વિશે જાણવા માટે ઉત્સુક છે. આવો જાણીએ કોણ છે તેમની પત્ની નારા ભુવનેશ્વરી, શું કરે છે? આપણે એ પણ જાણીશું કે ચંદ્રાબાબુ નાયડુ અને નારા ભુવનેશ્વરી એકબીજાને કેવી રીતે મળ્યા અને તેમના લગ્ન કેવી રીતે થયા?
કોણ છે ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી?
ચંદ્રબાબુ નાયડુની પત્ની નારા ભુવનેશ્વરી તેલુગુ સિનેમાના દિગ્ગજ અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સ્થાપક એનટી રામારાવની પુત્રી છે. નારા ભુવનેશ્વરી તેના પિતાના સમયથી રાજકારણમાં ખૂબ જ સક્રિય હતી. નારા ભુવનેશ્વરી હવે તેમના પતિ ચંદ્રબાબુ નાયડુ સાથે રાજકીય મંચોની મુલાકાત લે છે અને તેમની પાર્ટી માટે પ્રચાર કરે છે.
નારા ભુવનેશ્વરી હેરિટેજ ફૂડ્સ કંપનીમાં મુખ્ય શેરહોલ્ડર છે. તેણીએ તેના સોશિયલ મીડિયા પર તેના બાયોમાં ઉલ્લેખ કર્યો છે કે તે હેરિટેજ ફૂડ્સ કંપનીની વીસી, એમડી છે. નારા ભુવનેશ્વરી એનટીઆર મેમોરિયલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે.
ચંદ્રબાબુ નાયડુની રાજકીય કારકિર્દી 1970ના દાયકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) સાથે શરૂ થઈ હતી. તેમણે 1978 માં આંધ્ર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતી અને રાજ્ય કેબિનેટમાં મંત્રી તરીકે સેવા આપી. તેમની રાજકીય સફરમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેઓ તેમના સસરા એનટી રામારાવ (એનટીઆર) ની પુત્રી દ્વારા સ્થાપિત ટીડીપીમાં જોડાયા.
1980થી 1983 દરમિયાન સિનેમેટોગ્રાફી મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, નાયડુ એનટી રામારાવના સંપર્કમાં આવ્યા હતા. તેમની રાજકીય સફર ચરમસીમાએ હતી, જ્યારે ચંદ્રબાબુ નાયડુ ભુવનેશ્વરીને મળ્યા હતા. આ વ્યાવસાયિક સંબંધ સમય જતાં અંગત સંબંધમાં ફેરવાઈ ગયો અને સપ્ટેમ્બર 1981માં નાયડુએ એનટી રામારાવની પુત્રી ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા. આ લગ્ને માત્ર તેમના રાજકીય જોડાણોને મજબૂત બનાવ્યા જ નહીં, પરંતુ તેમના અંગત અને રાજકીય જીવનમાં મહત્વપૂર્ણ ભાગીદારીની શરૂઆત પણ કરી.
ચંદ્રબાબુ નાયડુ પરિવારની નેટવર્થ એક સપ્તાહ પહેલા 1,319 કરોડ રૂપિયાથી વધીને 2,190 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મનીકંટ્રોલ અનુસાર, નાયડુએ 1992માં હેરિટેજ ફૂડ્સ કંપનીની સ્થાપના કરી હતી. તેના ત્રણ વિભાગો છે, ડેરી, છૂટક અને કૃષિ. ચંદ્રબાબુ નાયડુની કુલ સંપત્તિ 931 કરોડ રૂપિયા છે. પરિવારની કુલ જવાબદારી રૂ. 10 કરોડથી વધુ છે. આ સિવાય નાયડુ પાસે 2.25 લાખ રૂપિયાની એમ્બેસેડર કાર પણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
