કેન્દ્ર સરકારે ખેડૂતોના ભલાને બદલે રાજકારણ પસંદ કર્યું : અનિલ ઘનવટ
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવા પર ફરી એકવાર SC રચિત સમિતિના સભ્ય અનિલ ઘનવટે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનિલ ઘનવટે કહ્યું કે, અમે MSPની વિરુદ્ધ નથી, પરંતુ ખેડૂતોને જે મુશ્કેલી થશે, તે ખૂબ જ ગંભીર હશે.
નવી દિલ્હી : ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરત ખેંચવા પર ફરી એકવાર SC રચિત સમિતિના સભ્ય અનિલ ઘનવટે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનિલ ઘનવટે કહ્યું કે, અમે MSPની વિરુદ્ધ નથી, પરંતુ ખેડૂતોને જે મુશ્કેલી થશે, તે ખૂબ જ ગંભીર હશે. જો એમએસપી કાયદો બનશે, તો ખેડૂતો તેમના સંબંધિત પાક પર એમએસપીની માંગ કરશે. આ કર્યા પછી અંતે કોઈની પાસે કમાવાનું કંઈ બાકી રહેશે નહીં.

SC રચિત સમિતિના સભ્ય અનિલ ઘનવટે વધુમાં કહ્યું હતું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, સરકારે આ કાયદો પાછો ખેંચી લીધો છે. કારણ કે, આ સમયે દેશમાં કૃષિની સ્થિતિ એટલી ખાસ નથી. આવી સ્થિતિમાં પાછળથી આ પગલું સારું સાબિત થશે નહીં.
બંને પક્ષો સાથે વાતચીત
આ અગાઉ પણ અનિલ ઘનવટે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખેડૂતોના ભલાને બદલે રાજકારણ પસંદ કર્યું અને કાયદો પરત ખેંચી લીધો છે. અનિલ ઘનવટે વધુમાં જણાવ્યું હતું કે, અમે આ ત્રણેય કાયદા અંગે ઊંડો અભ્યાસ કર્યો હતો અને બંને પક્ષો સાથે વાત પણ કરી હતી.
સરકારનું એકમાત્ર લક્ષ્ય છે
SC રચિત સમિતિના સભ્ય અનિલ ઘનવટે જણાવ્યું હતું કે, અમે સમગ્ર વાતચીતને ધ્યાનમાં રાખીને કાયદામાં કેટલાક સુધારા અને ઉકેલો અંગે અમારો રિપોર્ટ સબમિટ કર્યો છે. જો કે, તે તમામ ઉકેલોનો ઉપયોગ કરવાને બદલે, કેન્દ્ર સરકારે કાયદો પરત ખેંચી લીધો છે. કારણ કે, તેઓ માત્ર ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ચૂંટણી જીતવા માગે છે.
લખનઉમાં 22 નવેમ્બરના રોજ યોજાઈ હતી મહાપંચાયત
એગ્રીકલ્ચર એક્ટને પાછો ખેંચી લીધા બાદ ઉત્તર પ્રદેશની પાટનગર લખનઉમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, રેલીમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. આ લોકો અલગ-અલગ સંસ્થાઓના છે, પરંતુ દરેકની સમસ્યા સમાન છે.
હવે ખેડૂતોની માફી માંગવાથી ભાવ નહીં મળે
રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, દિલ્હીના સેલમાં બેઠેલા લોકોને સમજાવવામાં અમને 12 મહિના લાગ્યા. એક વર્ષ બાદ તેમને સમજાયું કે, તે નુકસાન હતું. જાણે કોઈ લડાઈ અને અપશબ્દો બોલીને ભાગી જતું હોય તેમ ઠપકો આપ્યો છે. ખેડૂતોમાં ભાગલા પાડતી વખતે કેટલાક લોકો કહી રહ્યા છે, હવે ખેડૂતોની માફી માંગવાથી ભાવ નહીં મળે, દેશમાં MSPનો કાયદો બનાવીને ભાવ મળશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
