ડિજિટલ મીડિયા પત્રકાર પર મણિપુર ડીએમની કાર્યવાહીને કેન્દ્રએ ગણાવ્યુ અતિક્રમણ
મણિપુરમાં એક ડિજિટલ મીડિયા પત્રકાર સામે કરવામાં આવેલ કાર્યવાહીમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો છે.
ઈમ્ફાલઃ ડિજિટલ મીડિયા પ્લેટફૉર્મ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દિશાનિર્દેશોના થોડા સમય બાદ મણિપુરમાં એક ડિજિટલ મીડિયા પત્રકાર સામે કરવામાં આવેલ કાર્યવાહીમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે એમ કહીને હસ્તક્ષેપ કર્યો છે કે જાહેર કરાયેલ દિશા નિર્દેશો હેઠળ રાજ્યોને કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

શું હતો સમગ્ર મામલો
વાસ્તવમાં સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ અને ઓટીટી પ્લેટફૉર્મ માટે કેન્દ્ર સરકારે હાલમાં જ અમુક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આ નિયમો હેઠળ મણિપુરના એક જિલ્લા અધિકારીએ એક પત્રકારને નોટિસ મોકલી જેમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે હસ્તક્ષેપ કર્યો અને તેને અતિક્રમણ ગણાવ્યુ. જેના થોડા સમય બાદ આ નોટિસને પાછી લઈ લીધી. કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ આ બાબતે મણિપુરના મુખ્ય સચિવ રાજેશ કુમારને પત્ર લખ્યો જેમાં ઈમ્ફાલ વેસ્ટના ડીએમ નોઆરામા પ્રવીણ સિંહ અને ખન્નાસી નીનાસીના પ્રકાશકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્રને 1 માર્ચે મણિપુરના મુખ્ય સચિવને મોકલવામાં આવ્યો.
પત્રમાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે જિલ્લા મેજિસ્ટ્રેટે ખન્નાી નીનાસીના પ્રકાશકને એ માનદંડોને સાબિત કરવા માટે કહ્યુ હતુ જે વેબ પત્રકારો માટે પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટની નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનુપાલન ન કરવાની સ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવશે. ખરેએ પત્રમાં આગળ કહ્યુ કે સૂચના પ્રૌદ્યોગિકી નિયમ 2021ને સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમ 2021 હેઠળ 25 ફેબ્રુઆરીએ બનાવવામાં આવ્યુ હતુ. આ નિયમો હેઠળ રાજ્ય સરકારના અધિકારીઓને કોઈ પ્રકારની કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. પત્રમાં આગળ કહેવામાં આવ્યુ કે પ્રકાશકને આપેલ નોટિસને તરત જ પાછી લેવી પડશે. આ પત્રમાં આગળ કહેવામાં આવ્યુ કે આ સંપૂર્ણપણે અતિક્રમણનો મામલો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
