મુખ્ય ચૂંટણી કમિશ્નર બિનરાજકીય અને એવો વ્યક્તિ હોવો જોઈએ જે સ્વતંત્ર નિર્ણય લઈ શકેઃ સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) અને ચૂંટણી કમિશ્નર (EC) તરીકે પોતાની પસંદના સેવારત અમલદારોની નિમણૂક કરતી કેન્દ્ર સરકારની વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
Sureme Court on CEC: સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) અને ચૂંટણી કમિશ્નર (EC) તરીકે પોતાની પસંદના સેવારત અમલદારોની નિમણૂક કરતી કેન્દ્ર સરકારની વર્તમાન વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યુ કે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોની નિમણૂકના મુદ્દે બંધારણનુ મૌન એક પરેશાન કરતી પરંપરા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યુ કે CEC અથવા EC બિનરાજકીય વ્યક્તિ હોવો જોઈએ. એવી વ્યક્તિ જે કોઈના પ્રભાવમાં પડ્યા વિના સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યુ કે શ્રેષ્ઠ બિન-રાજકીય નિયુક્તિ માટે ન્યાયી અને પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ. આ પદ પર મજબૂત ચરિત્રવાળો વ્યક્તિ હોવો જોઈએ જે પ્રભાવિત થયા વિના સ્વતંત્ર નિર્ણય લેવાનુ જાણતો હોય.

આ અંગે કાયદો બનવો જોઈતો હતો પરંતુ છેલ્લા 72 વર્ષમાં આવુ થયુ નથી
સુપ્રીમ કોર્ટે કલમ 324(2)નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે, આ ચૂંટણી કમિશ્નરની નિમણૂક વિશે વાત તો કરે છે પરંતુ નિમણૂકની પ્રક્રિયા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ અંગે કાયદો બનવો જોઈતો હતો પરંતુ છેલ્લા 72 વર્ષમાં આવુ થયુ નથી. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે આ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે 2004થી કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર 06 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી.
શું સુપ્રીમ કોર્ટે મૂક પ્રેક્ષક બનીને રહેવુ જોઈએ?
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યુ કે આ રીતે બંધારણના મૌનનો લાભ લેવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, 'દરેક સરકાર ભલે તે કોઈપણ પક્ષની હોય, સત્તામાં રહેવા માંગે છે. એવામાં તમે ચૂંટણી પંચ માટે આદર્શ અને શ્રેષ્ઠ વ્યક્તિ કેવી રીતે શોધો છો. આ ટ્રિલિયન ડોલરનો પ્રશ્ન છે. પરંતુ શું સુપ્રીમ કોર્ટે મૂક પ્રેક્ષક બનીને રહેવુ જોઈએ? આ માટે નિષ્પક્ષ, પારદર્શક હોવુ જોઈએ. અમે વિવિધ અહેવાલો અને ભલામણોની તપાસ કરી શકીએ છીએ. પરંતુ પસંદગી પ્રક્રિયા માટેની કોઈપણ તંત્ર ન્યાયી અને પારદર્શક હોવુ જોઈએ.
આ અરજી પર થઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ સંબંધિત અરજીઓની સુનાવણી કરી હતી. આ અરજીમાં ચૂંટણી પંચની પોલ પેનલને રાજકીય અથવા વહીવટી હસ્તક્ષેપથી બચાવવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યુ છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નર(CEC) અને ચૂંટણી કમિશ્નરો(EC)ની નિમણૂક માટે કોઈ ચકાસણી પ્રક્રિયા નથી. સરકાર પોતાની પસંદગીના વ્યક્તિઓની નિમણૂક કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
