કોલગેટ: એટર્ની જનરલ-કાનૂનમંત્રીએ કરાવ્યા CBI રિપોર્ટમાં ફેરફાર

આ પહેલા સીબીઆઇએ સ્ટેટસ રિપોર્ટમાં ફેરફાર કરવાની વાતને કબૂલી હતી. તપાસ એજન્સીએ કહ્યું હતું કે તેણે કોલસા ઘોટાળા પર સ્ટેટસ રિપોર્ટ કાનૂનમંત્રી અને પીએમઓના અધિકારીઓને બતાવ્યો હતો. આની વચ્ચે ખબર છે કે સીબીઆઇ સૂત્રોના અનુસાર કાનૂનમંત્રી અશ્વિની કુમારે 3 મહત્વપૂર્ણ પેરેગ્રાફમાં ફેરફાર કરાવ્યા હતા.
સીબીઆઇ સૂત્રો અનુસાર કેટલાક ફેરફાર તો ઇંડેન્ટ અને વ્યાકરણથી સંબંધિત હતા, પરંતુ કાનૂનમંત્રી ઇચ્છતા હતા કે સીબીઆઇ 3 મહત્વપૂર્ણ બિંદૂઓની ભાષાને હળવું કરી દે.
અશ્વિની કુમારને લાગતું હતું કે સીબીઆઇ આ રિપોર્ટના આધાર પર જે નિર્ણય પર પહુંચી રહી છે તે અપરિપક્વ છે અને તેમણે સીબીઆઇ ડાયરેક્ટરને ખાસકરીને તેની ભાષાને હળવી કરવાનું કહ્યું હતું. અત્યાર સુધી કોંગ્રેસ એ કહી રહી હતી કે કાનૂનમંત્રીએ રિપોર્ટમાં વ્યાકરણ સુધાર્યું હતું આ ઉપરાંત તેમણે કોઇ અન્ય ફેરફાર કર્યા નહીં. સીબીઆઇ બાદ સરકાર માટે મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
આ ઉપરાંત વરિષ્ઠ વકિલ પ્રશાંત ભુષણે જણાવ્યું કે 'સોગંધનામા અનુસાર કોલસા કૌભાંડના સ્ટેટસ રિપોર્ટને લઇને ત્રણ વખત બેઠક મળી હતી. કાનૂમંત્રીના કાર્યાલયમાં, એટર્ની જનરલના ઘરે અને સીબીઆઇના કાર્યાલયમાં બેઠક મળી હતી, જેમાં કાનૂનમંત્રી એટર્ની જનરલ અને કોલ મિનિસ્ટર હાજર હતા, અને દરેકે પોતપોતાની રીતે તેમાં ફેરફાર સૂચવ્યા હતા.'
આ સાથે તેમણે જણાવ્યું કે એટર્ની જનરલે બે વખત કોર્ટમાં ખોટૂ નિવેદન આપ્યુ કે તેમણે રિપોર્ટ જોયો ન્હોતો, માટે એ અદાલતનો અનાદર થયું કહેવાય માટે તેમની સામે અલગથી કાર્યવાહી થવી જોઇએ. તેમણે જણાવ્યું કે આ સોગંધનામા થકી સરકાર હવે ખુલ્લી પડી ગઇ છે. સીબીઆઇના અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે રિપોર્ટમાંથી કોઇના પણ નામ કાઢવામાં આવ્યા નથી. અને શું પરિવર્તન કરવામાં આવ્યા હશે તે તેમને યાદ નથી. આ દલિલ પર પ્રશાંત ભૂષણે પત્રકારોને જણાવ્યું કે સીબીઆઇના અધિકારીની આ વાત પર ભરોશો કરી શકાય નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
