મહાત્મા ગાંધીને દેશદ્રોહી કહેનારા કથિત કથાકાર તરુણ મુરારી બાપુ સામે કેસ નોંધાયો!
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
નરસિંહપુર, 4 જાન્યુઆરી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નરસિંહપુરના સ્ટેશન ગંજ પોલીસે તરુણ મુરારી બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર સોમવારે છિંદવાડા રોડ પર વીરા લૉનમાં શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે.

તરુણ મુરારી બાપુએ કહ્યું હતું કે મહાત્મા ગાંધી ન તો મહાત્મા છે અને ન તો રાષ્ટ્રપિતા હોય શકે છે. જીવતી વખતે દેશના ટુકડા થઈ ગયા તેથી તેને દેશદ્રોહી કહેવા જોઈએ.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસે તરુણ મુરારી બાપુના નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું હતું. આ મામલામાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી પોલીસ સ્ટેશન ગંજમાં આઈપીસીની કલમ 153, 504, 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જો કે તરુણ મુરારી બાપુ હજુ પણ પોતાની વાત પર અડગ છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ સાર્વજનિક મંચ પરથી ગાંધીજીને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા છે. આ પહેલા રાયપુર ધર્મ સંસદમાં પણ ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ હતું, જેને લઈને પણ એફઆરઆઈ નોંધાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
