શું બાળક પેદા કરવા માટે કેદીને પેરોલ આપી શકાય? સુપ્રીમ કોર્ટ કરશે વિચારણા
શું બાળક હોવાના કારણે કેદીને પેરોલ આપી શકાય? સુપ્રીમ કોર્ટ આ મુદ્દા પર વિચાર કરશે. રાજસ્થાન હાઈકોર્ટના કેદીને સંતાન માટે 15 દિવસની પેરોલ આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
નવી દિલ્હી : શું બાળક હોવાના કારણે કેદીને પેરોલ આપી શકાય? સુપ્રીમ કોર્ટ આ મુદ્દા પર વિચાર કરશે. રાજસ્થાન હાઈકોર્ટના કેદીને સંતાન માટે 15 દિવસની પેરોલ આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેના પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા સહમત થઈ છે. આ અરજી પર આગામી સપ્તાહે સુનાવણી થવાની શક્યતા છે.

વાસ્તવમાં, આ વર્ષે એપ્રીલમાં, એક કેદીની પત્નીએ રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેચ પાસે તેના 'બાળકોના અધિકાર'નો ઉલ્લેખ કરીને પતિને મુક્ત કરવાની માગ કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ મહેતા અને ફરઝંદ અલીએ જણાવ્યું હતું કે, પતિ જેલમાં હોવાને કારણે કેદીની પત્નીની શારીરિક અને ભાવનાત્મક જરૂરિયાતો પર અસર થઈ છે. તેના આધારે કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા 34 વર્ષીય નંદલાલને 15 દિવસ માટે પેરોલ મંજૂર કર્યો હતો.
વહેલી સુનાવણી માટે રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેચ પાસે પહોંચી
ભીલવાડા કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ નંદલાલ અજમેર સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેની પત્નીએ જિલ્લા કલેક્ટર અને પેરોલ સમિતિના અધ્યક્ષને અરજી કરી કે, તે કેદીની કાયદેસરની પત્ની છે અને તેમને કોઈ સંતાન નથી. તેથી તેના પતિને પેરોલ પર જેલમાંથી બહાર આવવા દેવો જોઈએ, જેથી તેને સંતાન સુખ મળી શકે. મહિલાએ આ માટે તેના પતિના જેલમાં રહેવા દરમિયાન 'સારા વર્તન'નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમની અરજી કલેક્ટર કચેરીમાં પડતર હતી. આ કેસની વહેલી સુનાવણી માટે તે રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેચમાં પહોંચી હતી.
કોર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?
મહિલાની અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કેદીની પત્નીને સંતાન પ્રાપ્તિના અધિકારથી વંચિત રાખવામાં આવી છે, જ્યારે તેણે ન તો કોઈ ગુનો કર્યો છે અને ન તો તેને કોઈ સજા મળી છે. કોર્ટે જણાવ્યું હતું કે, વંશ જાળવવાના હેતુથી બાળકના જન્મને ધાર્મિક ગ્રંથો, ભારતીય સંસ્કૃતિ અને વિવિધ ન્યાયિક નિર્ણયોમાં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે.
બાળક થવાથી કેદી પર પણ સકારાત્મક અસર પડે છે. પેરોલ મંજૂર કરવાનો હેતુ એ પણ છે કે, તેની મુક્તિ બાદ કેદી શાંતિપૂર્ણ રીતે સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે.
કોર્ટે હિંદુ ધર્મના 16 સંસ્કારોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં વિભાવનાને પણ સંસ્કાર તરીકે વર્ણવવામાં આવી છે. કોર્ટે કહ્યું, 'હિન્દુ ફિલસૂફીમાં ચાર પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જ્યારે કેદી જેલમાં હોય છે, ત્યારે તે આ પ્રયાસોથી વંચિત રહે છે. આ ત્રણમાંથી પુરુષાર્થ ધર્મ, અર્થ અને મોક્ષ એકલા હાથે મેળવી શકાય છે, પરંતુ કામ એ એવો ભાગ છે, જે લગ્ન પછી પતિ-પત્ની પર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં કેદીની નિર્દોષ પત્ની તેનાથી વંચિત રહી જાય છે. જો કોઈ પરિણીત મહિલા માતા બનવા માંગતી હોય તો તેની ઈચ્છાને પૂર્ણ કરવામાં રાજ્યની જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
જોધપુર ખંડપીઠે બાળક રાખવાના અધિકારને જીવનના અધિકાર સાથે જોડ્યો
કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, જ્યારે તે માતા બને છે, ત્યારે મહિલાનું નારીત્વ વધુ ચમકે છે. પરિવાર અને સમાજમાં તેની પ્રતિષ્ઠા વધે છે. સ્ત્રીના જીવનમાં એવી સ્થિતિ ન હોવી જોઈએ કે, તે તેના પતિથી તેના દોષ વગર કોઈ બાળક પેદા ન કરી શકે. આ રીતે કોર્ટે કેદી નંદલાલને 15 દિવસની પેરોલ મંજૂર કરી હતી.
રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર ખંડપીઠે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા 'જીવન જીવવાના અધિકાર' સાથે 'સંપત્તિના અધિકાર'ને પણ જોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બંધારણ એ વાતની ખાતરી આપે છે કે, કોઈ પણ વ્યક્તિને તેના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય. તેથી, સજા પામેલા કેદીના પતિ કે પત્નીને બાળક ઈચ્છતા અટકાવી શકાય નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
