કૈરાનાથી નક્કી થશે, 2019માં ભાજપ સામે કેટલુ મજબૂત રહેશે મહાગઠબંધન
ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ પર સંપન્ન થયેલ મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. સત્તાધારી દળ ભાજપ માટે આ બંને સીટો મહત્વની છે.
ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ પર સંપન્ન થયેલ મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. સત્તાધારી દળ ભાજપ માટે આ બંને સીટો મહત્વની છે. વળી, કૈરાના માટે કંઈક વધારે જ ગણગણાટ સાંભળવા મળ્યો છે. આજે આવનારા ચૂંટણી પરિણામો વચ્ચે બધાની નજર ભાજપ સામે એક થયેલા વિપક્ષ પર પણ હશે.

સમાજવાદી પક્ષ અને બસપાએ જે રીતે મળીને ફૂલપુર અને ગોરખપુરમાં ભાજપને મ્હાત આપી તે બાદ વિપક્ષનું મનોબળ જરૂર વધ્યુ છે. જ્યારે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપીમાં ભાજપ વધુ એક હાર ઝેલવા નહિ ઈચ્છે.

કૈરાનામાં રાલોદ-ભાજપ વચ્ચે જંગ
કૈરાનામાં રાલોદ ઉમેદવાર તબસ્સુમ હસનને સમાજવાદી પક્ષ, કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળેલ હતુ. આ ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવાર આ ચૂંટણીમા ઉતાર્યા નહિ અને ભાજપ સામે એક ઉમેદવાર માટે પક્ષમાં પોતાનું જોર લગાવ્યુ. જ્યારે ભાજપે દિવંગત પૂર્વ સાંસદ હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહને ટિકિટ આપીને મુકાબલો રસપ્રદ બનાવી દીધો.

ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે
કૈરાનામાં મુસ્લિમ મત ઘણા મહત્વ ધરાવે છે અને ગઠબંધનને આશા છે કે મુસ્લિમો તેમના પક્ષમાં મત આપશે. 16 લાખ મતદારોમાંથી 6 લાખ મતદારો આ સંસદીય સીટ પર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. બીજી તરફ ભાજપ ગુર્જર, જાટ, સૈની, કશ્યપ અને દલિત મતોને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરતી રહી છે. ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે જેથી ધ્રુવીકરણનો લાભ લઈ શકે.

ભાજપ સામે તૈયાર થઈ રહ્યુ છે મહાગઠબંધન
કૈરાનામાં થઈ રહેલ ચૂંટણીને 2019 લોકસભા ચૂંટણી પહેલા લાંબી લડાઈ રૂપે પણ જોવામાં આવી રહ્યુ છે. જો અહીં રાલોદ ઉમેદવાર જીતી જાય તો એક મોટો સંદેશ જશે કે વિપક્ષી દળોને સાથે લઈને ભાજપને નબળુ કરી શકાય છે અને એવામાં ભાજપ માટે આ ત્રીજી હાર હશે. તમને જણાવી દઈએ કે ભાજપે અગાઉ લોકસભા ચૂંટણીમાં કૈરાનામાં 2.5 લાખ મતોથી ભારે જીત મેળવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
