જ્યોતિષની સલાહ પર ડ્રાઈવરે કલાક મોડી ચલાવી બસ, બોલ્યો- નહિતર 15ના મોત થાત
જ્યોતિષે બસ ડ્રાઈવરને આપી એક સલાહ, 15 લોકોના જીવ બચી ગયા
બેંગ્લોરઃ કર્ણાટકના બેંગ્લોરમાં એખ અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. બેંગ્લોરમાં બીએમટીસીના એક ડ્રાઈવરે બસને માત્ર એટલા માટે એક કલાક મોડી ચલાવી કેમ કે જ્યોતિષે તેને આવું કરવા માટે કહ્યું હતું. ડ્રાઈવરે કલાક સુધી બસને ડિપોમાં જ ઉભી રાખી દીધી અને પછી સમય થયા બાદ જ પ્રવાસીઓને લઈને રવાના થયો હતો. બસ મોડી થતાં પ્રવાસીઓએ અધિકારીઓને ફરિયાદ કરી હતી, જે બાદ આ મામલે ડ્રાઈવરને સ્પષ્ટતા કરવા કહ્યું હતું. ડ્રાઈવરે જવાબમાં કહ્યું કે જ્યોતિષે તેને કહ્યું હતું કે જો બસ સમયસર નિકળશે તો યાત્રીઓનાં મૃત્યુ થઈ જશે.

બેંગ્લોરની ઘટના
બેંગ્લોરમાં મંગળવારે એક બસ ડ્રાઈવર ચર્ચાનો વિષય બની ગયો હતો. બેંગ્લોર મહાનગર પરિવહન નિગમના ડ્રાઈવર યોગેશ ગૌડાની ડ્યૂટી શહેરના રૂટ નંબર 45જે પર લાગી હતી. મંગળવારે સવારે 6.15 વાગ્યે યોગેશે મેજિસ્ટિક બસ સ્ટેશને જવા માટે બસ લઈને નિકળવાનું હતું, પરંતુ તેણે એવું ન કર્યું. યોગેશ બસ સ્ટેશન તો પહોંચ્યો, પરંતુ યોગેશે બસ સ્ટેશન પર સવા કલાક સુધી બસ ઉભી રાખી દીધી હતી. ડ્રાઈવરની આ હરકતથી પરેશાન થઈ પ્રવાસીઓએ ઉપરી અધિકારીને ફરિયાદ કરી હતી.

બસ મોડી ચાલુ કરી
6.15 વાગ્યે નિકળવાને બદલે યોગેશ બસને 7.25 વાગ્યે લઈને નિકળ્યો. યોગેશે કહ્યું કે જ્યોતિષના કહેવા પર તેણે આવું કર્યું. યોગેશે જણાવ્યું કે જ્યોતિષે તેને કહ્યું હતું કે 31 ઓગસ્ટે જો તે ડિપોથી સમયસર નિકળશે તો રાહુ કાળને કારણે 15 યાત્રીઓનાં મોત થઈ જશે.

જાણો ડ્રાઈવરે શું કહ્યું
માટે યોગેશે બીએટીસીને બદલે યાત્રીઓની જાન સુરક્ષિત કરવાનો ફેસલો કર્યો. યોગેશ વિરુદ્ધ તપાસ થઈ રહી છે. યોગેશે બસ મોડી ચાલુ કરતાં ગાડીના ઓછા ફેરા લાગ્યા અને તેને કારણે બીએમટીસીને નુકસાન થયું. બચાવમાં યોગેશે કહ્યું કે નગર નિગમ પણ બસ અને યાત્રીઓની સુરક્ષા માટે પૂજા-પાઠ કરાવે છે. આવી રીતે પોતાની આસ્થાને માનતાં તેણે જ્યોતિષની વાત પર વિશ્વાસ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
