બુરાડીઃ પિતા ઉપરાંત બીજી 4 આત્માઓના ટચમાં હતો લલિત
શરૂઆતથી જ આ સામૂહિક મોતના સૂત્રધાર જણાઈ રહેલ લલિત અંગે હજુ એક મોટો ખુલાસો થયો છે.
દેશની રાજધાની દિલ્હીને હચમચાવી દેનાર બુરાડી કેસમાં રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ઘરની અંદર એક જ પરિવારના 11 લોકોની લાશો મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે. વળી, પોલિસ પણ અંધવિશ્વાસની ગુત્થિઓમાં ઉલઝાયેલા આ કેસને જોઈને હેરાન છે. શરૂઆતથી જ આ સામૂહિક મોતના સૂત્રધાર જણાઈ રહેલ લલિત અંગે હજુ એક મોટો ખુલાસો થયો છે. ભાટિયા પરિવારના ઘરેથી મળેલા એક રજિસ્ટરમાંથી માલુમ પડ્યુ છે કે લલિતે પાંચ આત્માઓની મુક્તિ માટે 'મોતની સાધના'નું આ આખુ પ્રકરણ રચ્યુ.

5 આત્માઓની મુક્તિ માટે થઈ સાધના!
ભાટિયા પરિવારના ઘરેથી પોલિસને સતત નવા અને ચોંકાવનારા સુરાગ મળી રહ્યા છે. ગુરુવારે ક્રાઈમ બ્રાન્ચની ટીમના સૂત્રોએ જણાવ્યુ કે ઘરમાંથી મળેલી એક રજિસ્ટરમાં પાંચ આત્માઓનો ઉલ્લેખ છે. આ રજિસ્ટરના આધારે પોલિસને જાણવા મળ્યુ કે લલિત પોતાના પિતા ઉપરાંત અન્ય આત્માઓના પણ સંપર્કમાં હતો. લલિતે પિતાની આત્માના નિર્દેશ પર જ તેમની સાથે સાથે બીજી ચાર આત્માઓની મુક્તિ માટે શનિવારની રાતે ઘરમાં તે ‘સાધના' કરી, જેમાં પરિવારના 11 લોકોએ જીવ ગુમાવ્યા.

‘જેમ હું ભટકી રહ્યો છું, આ પણ ભટકી રહ્યા છે'
ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘરમાંથી મળેલા એક રજિસ્ટરમાં 9 જુલાઈ 2015 ના રોજ લખેલી એક નોટ મળી છે. આમાં લખ્યુ છે, "તમે પોતાના સુધારની ઝડપ વધારી દો. આભાર માનુ છુ કે તમે ભટકી જાવ છો અને પછી એકબીજાની વાત માનીને એક જ છત નીચે મેલમિલાપ કરી લો છો. પાંચ આત્માઓ મારી સાથે ભટકી રહી છે, જો તમે સુધાર કરશો તો તેમને પણ મુક્તિ મળશે. તમે વિચારતા હશો કે હરદ્વાર જઈને બધુ કરી આવીએ તો તેમને પણ મુક્તિ મળી જશે... જેમ હું આના માટે ભટકી રહ્યો છુ એવી રીતે સજ્જન સિંહ, હીરા, દયાનંદ અને ગંગા દેવી મારા સહયોગી બનેલા છે."

કોણ છે આ ચારે લોકો?
રજિસ્ટરમાં આગળ લખ્યુ છે, "આ બધા લોકો પણ ઈચ્છે છે કે તમે બધા યોગ્ય કર્મો કરીને પોતાનું જીવન સફળ બનાવો. જો આપણા નિયમિત કામ પૂરા થઈ જશે તો અમે અમારા ઘરે પાછા જતા રહીશુ." ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે એ વાતની તપાસ કરવામાં લાગેલી છે કે રજિસ્ટરમાં જે ચારે નામો સજ્જન સિંહ, હીરા, દયાનંદ અને ગંગા દેવીનો ઉલ્લેખ છે, તે કોણ છે અને તેમને આ કેસ સાથે શું લેવાદેવા છે. પોલિસની એક ટીમ ભાટિયા પરિવારના ઘરેથી મળેલા બધા રજિસ્ટરોનું સતત અધ્યયન કરી રહી છે. પોલિસનું માનવુ છે કે જેમ જેમ રજિસ્ટર ખુલશે તેમ તેમ આ કેસમાં બીજા કેટલાક ચોંકાવનારા રાઝ પણ ખુલશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
