TV ડિબેટમાં શામેલ નહિ થાય બસપા પ્રવકતા, ચૂંટણીમાં હાર પછી માયાવતીઓ લગાવ્યો મીડિયા પર આ આરોપ
માયાવતીએ પાર્ટી પ્રવકતાને કોઈ પણ ટીવી ડિબેટમાં શામેલ ન થવા માટે કહ્યુ છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી(બસપા)નુ પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યુ છે. બસપા માત્ર એક સીટ પર સમેટાઈને રહી ગઈ છે. વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ બસપા સુપ્રીમો માયાવતીએ મીડિયા પર આરોપ લગાવીને ટ્વિટ કર્યા છે. સાથે જ પાર્ટી પ્રવકતાને કોઈ પણ ટીવી ડિબેટમાં શામેલ ન થવા માટે કહ્યુ છે.

બસપા સુપ્રીમો માયાવતીએ શનિવારે એક પછી એક બે ટ્વિટ કર્યા છે. માયાવતીએ ટ્વિટ કરીને લખ્યુ, 'યુપી વિધાનસભા સામાન્ય ચૂંટણી દરમિયાન મીડિયા દ્વારા પોતાના આકાઓને દિશા-નિર્દેશનમાં જે જાતિવાદી દ્વેષપૂર્ણ તેમજ ઘૃણાસ્પદ વલણ અપનાવીને આંબેડકરવાદી બસપા મૂવમેન્ટને નુકશાન પહોંચાડવાનુ કામ કરવામાં આવ્યુ છે તે કોઈનાથી પણ છૂપુ નથી.'
એટલુ જ નહિ માયાવતીએ બીજા ટ્વિટમાં લખ્યુ, 'આ સ્થિતિમાં પાર્ટી પ્રવકતાઓને પણ નવી જવાબદારી આપવામાં આવશે. માટે પાર્ટીના બધા પ્રવકતા શ્રી સુધીન્દ્ર ભદોરિયા, શ્રી ધર્મવીર ચૌધરી, ડૉ. એમ. એચ. ખાન, શ્રી ફૈજાન ખાન તેમજ શ્રીમતી સીમા કુશવાહા હવે ટીવી ડિબેટ વગેરે કાર્યક્રમોમાં શામેલ નહિ થાય.'
આ પહેલા માયાવતીએ કહ્યુ કે, 'કાલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બસપાની આશા વિરુદ્ધ જે પરિણામ આવ્યા છે, તેનાથી ગભરાઈને કે નિરાશ થઈને પાર્ટીના લોકોએ તૂટવાનુ નથી. તેના સાચા કારણોને સમજીને અને પાઠ શીખીને આપણે પોતાની પાર્ટીને આગળ વધારવાની છે અને ભવિષ્માં સત્તામાં જરુર આવવાનુ છે.' આ દરમિયાન તેમણે બસપાની હારની ઠીકરુ મુસ્લિમોના માથે ફોડી દીધુ છે.
માયાવતીએ કહ્યુ, 'મુસ્લિમ સમાજ બસપા સાથે તો રહ્યો પરંતુ તેમના પૂરા વોટ સમાજવાદી પાર્ટી તરફ શિફ્ટ કરી દેવામાં આવ્યા, આનાથી બસપાને ભારે નુકશાન થયુ. મુસ્લિમ સમાજે વારંવાર અજમાવેલી પાર્ટી બસપાથી વધુ સપા પર ભરોસો કરવાની મોટી ભૂલ કરી છે.' આ દરમિયાન માયાવતી કહ્યુ કે જો દલિત અને મુસ્લિમ એક થઈને બસપાના પક્ષમાં વોટ કરતા તો પશ્ચિમ બંગાળની જેમ ચોંકાવનારા પરિણામ આવી શકતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
