કોંગ્રેસનો આરોપઃ યેદુરપ્પાએ ભાજપના મોટા નેતાઓને આપી 1800 કરોડની લાંચ
કોંગ્રેસે દાવો કર્યો છે કે કર્ણાટકની તત્કાલીન યેદુરપ્પા સરકારે ભાજપને 1800 કરોડ રૂપિયાની લાંચ આપી હતી.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ભાજપના ઉપર ડાયરી બોમ્બ ફોડી દીધો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે કર્ણાટકની તત્કાલીન યેદુરપ્પા સરકારે ભાજપને 1800 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. આનો ખુલાસો યેદુરપ્પાની એક ડાયરીમાંથી થયો છે. દિલ્લીના કોંગ્રેસ મુખ્યલાયમાં પ્રેસ સાથે વાત કરતા પાર્ટી પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ કે તેમણે ભાજપના ઘણા નેતાને લગભગ 1800 કરોડની લાંચ આપી છે. અમારી પાસે પુરાવા છે. આ લાંચ તેમણે કર્ણાટકમાં સરકારમાં રહીને આપી છે.

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સિંહ સૂરજેવાલાએ ભાજપના દિવંગત નેતા અનંત કુમાર અને પૂર્વ સીએમ બીએસ યેદુરપ્પા વચ્ચે થયેલા વાતચીત અને ડાયરીમાં લખેલા 1800 કરોડની ડિટેલ્સનો દાવો કર્યો. કોંગ્રેસે એ પણ કહ્યુ કે એક ન્યૂઝ મીડિયામાં પ્રકાશિત આ રિપોર્ટના આધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ભાજપની સેન્ટ્રલ કમિટીના બધા નેતાઓની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ કે આ ડાયરીમાં યેદુરપ્પાની સાઈન પણ છે. ડાયરીમાં લગભગ 12 નેતાઓના નામ છે. તેમણે આરોપ લગાવ્યો કે આ લાંચ ભાજપની કેન્દ્રીય કમિટીને આપવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી જેવા માટે નેતા શામેલ છે.
સૂરજેવાલાએ કહ્યુ કે અમે તથાકથિત ડાયરીની સત્યતાનો દાવો નથી કરતા પરંતુ આની તપાસ થવી જોઈએ. આની તપાસ સીધા પ્રધાનમંત્રી મોદીથી શરૂ થવી જોઈએ. સુરજેવાલાએ કહ્યુ, 'ડાયરી અનુસાર 2600 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા અને તેમન સીધા 1000 કરોડ રૂપિયા ભાજપની સેન્ટ્રલ કમિટીને આપવામાં આવ્યા. જજોને લાંચ તરીકે આપવા માટે 250 કરોડનો ઉલ્લેખ છે. 2017થી આવકવેરા ડિપાર્ટમેન્ટ પાસે ડાયરી હોવાનો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો. તેમણે સવાલ પૂછ્યો કે છેવટે મોદી સરકાર આ કેસની તપાસ કેમ નથી કરાવતી.'
સુરજેવાલાએ કહ્યુ કે મોદી સરકારે આ લાંચના આરોપનો જવાબ આપવો જોઈએ. જો આ આરોપ ખોટા છે તો પ્રધાનમંત્રી મોદીએ પોતે જ તપાસની અનુમતિ આપવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ભાજપના મોટા નેતૃત્વ પર આરોપ લાગ્યા છે. આજે સવાલ કાયદો-બંધારણ અને મર્યાદાનો છે. ભાજપ આ આરોપ માટે લોકપાલ કે કોઈ અન્ય સંસ્થા પાસે આની તપાસ કરાવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
