દિલ્હી-જમ્મુ રાજધાની એક્સપ્રેસમાં બોમ્બની ધમકી, 3 કલાક સુધી સોનિપતમાં લેવાઇ તલાશી
રાજધાની દિલ્હીથી જમ્મુ જઈ રહેલી દિલ્હી-જમ્મુ રાજધાની એક્સપ્રેસમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ રેલવે વિભાગમાં હડકંપ મચી ગયો છે. દિલ્હી-જમ્મુ એક્સપ્રેસ ટ્રેનને હરિયાણાના સોનીપત રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને આખી ટ્રેનને ખાલી કરાવવામાં આવી હતી.
જીઆરપી અને આરપીએફના જવાનોએ એક્સપ્રેસ ટ્રેનને પોતાના નિયંત્રણમાં લીધી હતી. આ પછી, ડોક સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી અને ટ્રેનની દરેક બોગીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન એક્સપ્રેસ ટ્રેનમાંથી કોઈ વિસ્ફોટક મળી આવ્યું ન હતું. આ પછી મોડી રાત્રે 01.48 વાગ્યે ટ્રેનને રવાના કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-જમ્મુ રાજધાની એક્સપ્રેસ શુક્રવારે રાત્રે લગભગ 09:20 વાગ્યે દિલ્હીથી જમ્મી માટે રવાના થઈ હતી. દરમિયાન રેલવે કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિએ ફોન પર માહિતી આપી હતી કે રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અંદર બોમ્બ છે. બોમ્બની માહિતી મળતાં જ રેલવે કંટ્રોલ રૂમમાં ખળભળાટ મચી ગયો હતો.
ઉતાવળમાં ટ્રેનને રાત્રે 9:35 વાગ્યે સોનીપત રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હરિયાણાના સોનીપતમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનનું કોઈ સ્ટોપેજ નથી. તે જ સમયે, સોનીપત રેલ્વે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસના આગમન પહેલા જ, સ્ટેશનને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
આ દરમિયાન અહીં રેલવે ટ્રેકની બંને તરફ જીઆરપી અને આરપીએફના જવાનો હાજર હતા. પોલીસની વધેલી હિલચાલ જોઈને સ્ટેશન પર હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ એક મોકડ્રીલ છે. પરંતુ, જ્યારે રાજધાની ટ્રેન સ્ટેશન પર ઉભી રહી ત્યારે ખબર પડી કે ટ્રેનમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી.
આ દરમિયાન સોનીપત પોલીસના અધિકારીઓ અને જવાન પણ સ્ટેશન પર પહોંચ્યા હતા. સમાચાર અનુસાર, મુસાફરોને ટ્રેનમાંથી નીચે ઉતાર્યા બાદ દરેક બોગીની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મીડિયાને માહિતી આપતા ઉત્તર રેલવેના સીપીઆરઓ દીપક કુમારે જણાવ્યું કે, પહેલી ટીમ રાત્રે 11.40 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી, જ્યારે બીજી ટીમ પણ થોડીવાર પછી પહોંચી હતી.
રાત્રે એક વાગ્યા સુધી ટ્રેન સોનીપત રેલવે સ્ટેશન પર ઉભી રહી હતી. ટ્રેનની દરેક બોગી ખાલી કરવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે બોમ્બ વિશેની માહિતી અફવા સાબિત થઈ.
જે બાદ ટ્રેનને જમ્મુ માટે રવાના કરવામાં આવી હતી. તે જ સમયે, ટ્રેનમાં સવાર ઘણા મુસાફરોએ ટ્વિટર પર ફરિયાદ કરી હતી કે રેલ્વે અધિકારીઓ દ્વારા કોઈપણ માહિતી વિના ટ્રેનને બે કલાકથી વધુ સમય સુધી સોનીપત સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
