અત્યારે લોકસભા ચૂંટણી થાય તો કોંગ્રેસની હવા નીકળી જાય

રવિવારે હિન્દી ન્યુઝ ચેનલ એબીપી ન્યુઝે પોતાના સર્વેનો પ્રથમ ભાગ રજૂ કર્યો હતો. સર્વેનો બીજો ભાગ સોમવારે રજૂ કરવામાં આવશે. મંગળવારે યુપીએ 2 સરકારને ચાર વર્ષ પૂરા થઇ રહ્યા છે આ પ્રસંગે વડાપ્રધાન યુપીએ 2નું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરવામાં આવશે.
ચેનલે પોતાના રિપોર્ટમાં જુદા જુદા રાજ્યોના મતદાતાઓના મૂડને જાણવાની અને સમજવાની કોશિશ કરી હતી. આ દરમિયાન 1થી 10 મે વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં 21 રાજ્યોની 152 લોકસભા બેઠકોમાં 33408 લોકોના મત જાણવામાં આવ્યા હતા.
રવિવારે દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશની જે 175 બેઠકોને કવર કરવામાં આવી તેમાં વર્ષ 2009માં યોજાયેલી ચૂંટણીઓમાં યુપીએને 60 બેઠકો મળી હતી. આ સર્વેમાં બેઠકો ઘટીને 32 પર પહોંચી ગઇ છે. તેનાથી વિપરીત આ રાજ્યોમાં એનડીએની બેઠકો 62થી વધીને 91 પર પહોંચી ગઇ છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે જો આ સર્વે પર વિશ્વાસ કરવામાં આવે તે એનડીએને ઘણો ફાયદો થઇ રહ્યો છે. જ્યારે યુપીએ સરકારની દુર્ગતિ જોવા મલી રહી છે.
દિલ્હીમાં કોંગ્રેસની ખરાબ સ્થિતિ
સર્વેની રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો દિલ્હીમાં કોંગ્રેસની સ્થિતિ આંચકાજનક છે. વર્ષ 2009ની ચૂંટણીઓમાં કોંગ્રેસે દિલ્હીની 7 સંસદીય બેઠકોમાંથી 7 પર કબ્જો મેળવી લીધો હતો. જ્યારે ભાજપને એક પણ બેઠક મળી ન હતી. જો કે સર્વે અનુસાર આજે ચૂંટણીઓ યોજાય છે તો ભાજપને 5 બેઠક પર કબજો મળે છે જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળે છે. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સર્વે અનુસાર કોઇ સંસદીય બેઠક દિલ્હીમાં નહીં મળે.
મહારાષ્ટ્રમાં ભાજપને ફાયદો
48 લોકસભા બેઠકોવાળા રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ એનસીપીને નુકસાન થયું જોવા મળી રહ્યું છે. હાલ કોંગ્રેસ અને એનસીપી પાસે 25 સાંસદો છે. સર્વેના જણાવ્યા અનુસાર આ સંગઠનના સાંસદોની સંખ્યા ઘટીને 16 પર આવી જશે. તેમાં 12 સાંસદો કોંગ્રેસના હશે. જ્યારે 4 એનસીપીના હશે. સર્વે અનુસાર ભાજપ શિવસેના સંગઠન ફાયદામાં રહેશે. હાલમાં ભાજપ શિવસેના સંગઠનની પાસે 20 બેઠકો છે. સર્વેએ ભાજપને 17 બેઠકો આપી છે. અને શિવસેનાને 12 બેઠકો મળે છે. સર્વે અનુસાર રાજ ઠાકરેની એમએનએસને માત્ર એક જ બેઠક મળી રહી છે.
યુપીમાં કોંગ્રેસને આંચકો
લોકસભાની 80 બેઠકોવાળા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પણ સર્વે અનુસાર કોંગ્રેસને ખાસ્સી મોટી નિરાશા હાથ લાગે એવી સ્થિતિ જોવા મળી રહી છે. વર્ષ 2009માં કોંગ્રેસે 22 બેઠકો જીતી હતી. જ્યારે હવે તેમાં ભારે ઘટાડો થતો જોવા મળે છે. કોંગ્રેસને હવે માત્ર 6 બેઠકો મળે તેમ લાગે છે. સમાજવાદી પાર્ટી પોતાની વર્તમાન સ્થિતિને જાળવી રાખતા 24 બેઠકો જીતશે. જ્યારે બીએસપીના સાંસદોની સંખ્યા 21 રહેશે. જ્યારે ભાજપની બેઠકની સંખ્યામાં મોટો વધારો થશે. તે 10થી વધીને 23 વર્ષ પર પહોંચી જશે. જ્યારે આરએલડીને 5 બેઠકો મળશે.
બિહારમાં પરિણામો મોરચાની સ્થિતિ પર નિર્ભર
બિહારમાં 40 લોકસભા બેઠકો છે. સર્વેના જણાવ્યા અનુસાર અહીં પણ ભાજપ - જેડી (યુ) ગઠબંધન યથાવત રહેશો તો બંને પક્ષોને સાથે મળીને બેઠકોની સંખ્યા વધી શકે છે. હાલમાં બીજેપી જેડી (યુ)ની પાસે 32 બેઠકો છે. આ બેઠક વધીને 34 સુધી પહોંચે છે. સર્વેના જણાવ્યા અનુસાર જેડીયુ પોતાની બેઠકો વધારીને 20થી 24 કરશે. પણ બીજેપીને નુકસાન થતું જોવા મળી રહ્યું છે. તેમની બેઠકો 12થી વધીને 10 થઇ ગઇ છે. જો કે બંનેને મેળવીને 40માંથી 34 બેઠકો એનડીએના ખાતામાં આવે છે.
કોંગ્રેસ અને આરજેડીના વર્તમાન સમીકરણો અંતર્ગત અહીં નિરાશા મળશે. કોંગ્રેસને 3 અને આરજેડીને 2 બેઠકો પર સંતોષ માનવો પડે તેવી સ્થિતિ છે. જો સમીકરણ બદલાય છે તો જેડીયુ તથા ભાજપનું સંગઠન તૂટી જાય તો પરિણામો બદલાઇ શકે છે. સર્વે જણાવે છે કે જો ભાજપ અને જેડીયુ અલગ અલગ ચૂંટણી લડે છે અને કોંગ્રેસ આરજેડી સાથે આવી જાય તો આ યુતિને 18 બેઠકો મળી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
