ખડગેના આઝાદીની લડાઈ મુદ્દે નિવેદન બાદ સંસદમાં બીજેપીનો હંગામો, ખડગે નિવેદન પર અડગ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં બીજેપીનું કુતરુય મર્યુ નથી. હવે આ નિવેદનને લઈને સંસદમાં હંગામો થયો છે.
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના આઝાદીની લડાઈને લઈને આવેલા નિવેદને વિવાદ છેડ્યો છે. આ વિવાદ હવે સંસદ સુધી પહોંચ્યો છે. રાજ્યસભામાં બીજેપીએ ખડગેના નિવેદનને લઈને હંગામો મચાવ્યો હતો અને માફીની માંગ કરી હતી. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે માફીની માંગ કરતાં કહ્યું કે, ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું તેમના અભદ્ર ભાષણની સખત નિંદા કરું છું.

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ સતત રાજનીતિ ગરમાઈ રહી છે ત્યારે હવે કેન્દ્રિયમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, આ ડુપ્લીકેટ કોંગ્રેસ છે. નકલી કોંગ્રેસ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ પોતાના નિવેદન પર અડગ છે.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, આઝાદીની લડાઈમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ જીવ આપ્યા, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં એક કૂતરુ પણ મર્યુ નથી. ખડગેએ કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે બલિદાન આપ્યું, તમે શું કર્યું?
આ મુદ્દે બીજેપી નેતા કિરણ રિજિજુએ કહ્યું કે, હું માની શકતો નથી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આટલા નીચા ઉતરીને આવી વાંધાજનક ટિપ્પણી કરી શકે છે. તેમણે રાજકીય પક્ષના નેતા તરીકે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. અમે દુશ્મન નથી, હરીફ છીએ. આ અરુચિકર, કમનસીબ અને બિનજરૂરી છે.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ ભાજપ સતત હુમલા કરી રહ્યું છે. આક્રમક બની ગયું છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે ખડગે સાહેબની પાર્ટી બધાને કૂતરા માને છે. મારા દાદા લગભગ 5 વર્ષ જેલમાં હતા અને કોંગ્રેસમાં હતા. કોંગ્રેસે આજ સુધી બધાને કુતરા સમાન ગણ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
