લોકસભામાં નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું
નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું
નવી દિલ્હીઃ લોકસભામાં જેવી રીતે નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે તે બાદ ભાજપની અંતર નેતાઓએ બગાવતના સુર છેડ્યા છે. આ બિલની વિરુદ્ધમાં ભાજપના નેતાએ નારાજગી વ્યક્ત કરી છે. લોકસભામાં જ્યારે આ બિલ પાસ કરવામાં આવ્યું તો આસામમાં ભાજપના પ્રવક્તા મહેંદી આલમ બોરાએ આ બિલના વિરોધમાં પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે ભાજપમાં બોરા પહેલા એવા નેતા છે જેમણે નાગરિકતા બિલના વિરોધમાં રાજીનામું આપ્યું હોય. બોરાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

હું ભાજપ સાથે સહમત ન થઈ શકું
પોતાના રાજીનામામાં બોરાએ લખ્યું કે હું નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરું છું અને મને લાગે છે કે આ બિલથી સાચા અર્થમાં આસામના લોકોને નુકસાન થશે. આ બિલ આસામના લોકોના ધર્મનિરપેક્ષ માળખાંને પ્રભાવિત કરશે, જેથી આ બિલનો હું હંમેશા વિરોધ કરતો આવ્યો છું અને આગળ પણ વિરોધ કરતો રહીશ. તેમણે કહ્યું કે લોકસભામાં આ બિલ પાસ થયા બાદ ભાજપ સાથે સહમત નથી, જેથી ભાજપના પ્રાથમિક સભ્યતા અને તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

વિપક્ષે બિલનો વિરોધ કર્યો
જણાવી દઈએ કે અગાઉ લોકસભામાં વિપક્ષી દળોના ભારે હંગામાની વચ્ચે આ બિલ પાસ કરાવી લેવામાં આવ્યું. આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વિસ્થાપનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલ હિંદુ, ઈસાઈ, બૌધ, પારસી, જૈન, સિખ લઘુમતીઓને સુરક્ષા આપવાની વાત કહેવામાં આવી છે. આ બિલનું કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો અને આ બિલમાં કેટલીય કમી જણાવી. બંને પાર્ટીઓએ કહ્યું કે આ બિલ લોકોમાં ભાગલા કરનાર છે.

સરકારે સ્પષ્ટ વલણ રાખ્યું
જ્યારે આ બિલ વિશે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યં કે નાગરિકતા સંશોધન બિલથી શરણાર્થીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે આ બિલ માત્ર આસામ માટે જ નથી, આ એવા તમામ પ્રવાસીઓ માટે પણ છે જેઓ પશ્ચિમી બોર્ડરથી આવ્યા છે અને પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં વસી ગયા છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે NCRને લઈ પ્રતિબદ્ધ છીએ. આ બિલના કારણે NCRમાં કોઈ ભેદભાવ નહી થાય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
