કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની વિરુદ્ધમાં, તેમછતાં ઉજવણી કરી રહ્યા છેઃ અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કર્ણાટકમાં હાલમાં જ થયેલા ઘટનાક્રમ પર પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી. પત્રકારોને સંબોધિત કરતા કહ્યુ કે અમે કર્ણાટકની જનતાનો આભાર માનીએ છીએ.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કર્ણાટકમાં હાલમાં જ થયેલા ઘટનાક્રમ પર પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી. પત્રકારોને સંબોધિત કરતા કહ્યુ કે અમે કર્ણાટકની જનતાનો આભાર માનીએ છીએ. આ ચૂંટણીમાં અમારુ પ્રદર્શન સારુ રહ્યુ છે. અમિત શાહે કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસની 122 સીટોથી ઘટીને 78 થઈ ગઈ છે. તેમના અડધાથી વધુ મંત્રી ચૂંટણી હારી ગયા છે. તેમના મુખ્યમંત્રી પણ હારી ગયા છે તેમછતાં ઉજવણી કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષના નેતાઓએ કહેવુ જોઈએ કે તે કર્ણાટકમાં શેની ઉજવણી કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યુ કે કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. કર્ણાટકમાં અમારા પક્ષના વોટશેરમાં પણ ભારે વધારો થયો છે. અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસ 3પી (પંજાબ, પુડુચેરી અને પરિવાર) માં સમેટાઈને રહી ગઈ છે. કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની વિરોધમાં આવ્યો તો પણ ઉજવણી કરી રહ્યા છે.
અમિત શાહે કહ્યુ કે હાલમાં જ ભાજપને 9 લોકસભા સીટોમાં હાર મળી જેને બહુ જોર-શોરથી પ્રચારિત કરવામાં આવી. અમે કોંગ્રેસ અને વિપક્ષ પાસેથી 14 રાજ્યો છીનવી લીધા. શાહે કહ્યુ કોંગ્રેસે જીતની નવી વ્યાખ્યા બનાવી, તેમની નવી વ્યાખ્યા 2019માં અમારા કામમાં આવશે. અમિત શાહે કહ્યુ કે કર્ણાટક વિશે કેટલાક દળ દુષ્પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓએ ધારાસભ્યોને પૈસાની ઓફર મળ્યાની ખોટી વાતો ફેલાવી હતી. વળી, અમિત શાહે કહ્યુ કે આશા છે કે કોંગ્રેસને હવે સુપ્રિમ કોર્ટ, ચૂંટણી આયોગ અને ઈવીએમ પસંદ આવશે અને તેના પર સવાલ નહિ કરે. ભાજપ પર હોર્સ ટ્રેડિંગના લાગેલા આરોપો પર અમિત શાહે કહ્યુ કે અમે ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કર્યુ નથી. પરંતુ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા હતા. જો તેમને બંધક ના બનાવતા તો અમારી સરકાર જરૂર બનતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
