ભાજપ નેતાએ કહ્યુ- જે જીતનરામ માંઝીની જીભ કાપીને લાવશે તેને 11 લાખ રૂપિયાનુ ઈનામ
ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ જીતનરામ માંઝીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે.
પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં સત્તારુઢ પક્ષમાં શામેલ હિંદુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ ભલે બ્રાહ્મણો સામે કરેલી ટિપ્પણી માટે માફી માંગી લીધી હોય પરંતુ હવે આ મામલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યાં બિહારના પોલિસ સ્ટેશનમાં માંઝી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે ત્યાં બીજી તરફ ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ જીતનરામ માંઝીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. ગજેન્દ્ર ઝાએ કહ્યુ કે જે પણ માંજીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનુ ઈનામ આપશે.

ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ માંઝી પર સનાતન ધર્મ વિરુદ્ધ જાણીજોઈને વારંવાર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો. ગજેન્દ્ર ઝાએ કહ્યુ કે જો માંઝી હિંદુ સનાતન ધર્મને ન માનતા હોય તો તેમણે ધર્મ પરિવર્તન કરી લેવુ જોઈએ. જો પણ બ્રાહ્મણની દીકરો સમાજ સામે અપમાનજનક ટિપ્પણી કરનાર માંઝીની જીભ કાપશે તેને 11 લાખ રુપિયાનુ રોકડ ઈનામ આપવામાં આવશે.
વળી, હિંદુસ્તાની આવામ મોરચાના પ્રવકતા દાનિશ રિઝવાને ગજેન્દ્ર ઝાને પડકારીને કહ્યુ કે કોઈનામાં પણ માંઝી પર હુમલો કરવાની હિંમત નથી. તેમણે કહ્યુ કે ભાજપ નેતૃત્વએ પોતાના નેતાઓને સમજાવવા જોઈએ, નહિતર પરિણામ ખરાબ આવશે. જ્યારે માંઝી પહેલા જ નિવેદન પ્રત્યે પોતાનો ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે તો આ મુદ્દાને ઉઠાવવો યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે જીતનરામ માંઝીની પાર્ટી બિહારની સત્તારુઢ એનડીએ ગઠબંધનનો એક ઘટક પક્ષ છે જેમાં ભાજપ પણ શામેલ છે.
વાસ્તવમાં, શનિવારે પટનામાં ભુઈયાં મુસહર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જીતનરામ માંઝી મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમમાં માંઝીએ પોતાના ભાષણ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે ધર્મના નામે રાજનીતિનો મુદ્દો ઉઠાવ્યો અને આ દરમિયાન પંડિતો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો.
કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન માંઝીએ કહ્યુ, 'આજકાલ ગરીબ વર્ગના લોકોમાં ધર્મની પારાયણતા વધુ આવી રહી છે. સત્યનારાયણ ભગવાનની પૂજીનુ નામ આપણે લોકો જાણતા નહોતા. હવે દરેક ટોળામાં આપણા લોકોને ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થાય છે. એટલી પણ લાજ શરમ નથી આવતી કે પંડિત... આવે છે અને કહે છે કે તમારે ત્યાં કંઈ નહિ ખઈએ...બસ થોડી રોકડ આપી દો.'
માંઝીએ આના પર સફાઈ આપીને કહ્યુ હતુ કે મે મારા સમાજ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો નહિકે પંડિતો માટે. જો કોઈને ખોટી ધારણા થઈ હરયો તો તેના માટે હું માફી માંગુ છુ. મે મારા સમાજના લોકોને કહ્યુ કે આજે આસ્થાના નામે કરોડો રુપિયા ખર્ચવામાં આવે છે પરંતુ ગરીબોનુ કલ્યાણ નથી થઈ રહ્યુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
