ગોવા-મણિપુરમાં ભાજપ ફરીથી સરકાર બનાવી શકે, કોંગ્રેસને બહુમતીની સંભાવના નહીં!
આગામી વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આગામી વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજ્યોમાં ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન એબીપી ન્યૂઝ અને સી વોટરે રાજ્યોની સ્થિતિ જાણવા માટે એક સર્વે કર્યો છે. ગોવામાં ફરી એકવાર ભાજપ સરકાર બનાવી શકે છે. એક અંદાજ મુજબ 22 થી 26 બેઠકો ભાજપના ખાતામાં જશે, 3-7 બેઠકો કોંગ્રેસને, 4-8 બેઠકો આમ આદમી પાર્ટીને અને 3-7 બેઠકો અન્યને મળશે.

એબીપી ન્યૂઝ સી વોટર મુજબ, ગોવામાં ભાજપને 39 ટકા, કોંગ્રેસને 15 ટકા, આમ આદમી પાર્ટીને 22 ટકા અને અન્યને 24 ટકા મત મળી શકે છે. 2017 ની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, 60 માંથી 28 બેઠકો સાથે બહુમતીથી ત્રણ બેઠકો ઓછી રહી હતી. બીજેપી 21 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી. પરંતુ એનપીપી, એનપીએફ અને અપક્ષ ઉમેદવારોના 11 ધારાસભ્યોના ટેકાથી ભાજપે સરકાર બનાવી હતી.
મણિપુરની વાત કરીએ તો, સર્વેના આંકડા અનુસાર, 2022 ની મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધન સંપૂર્ણ બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવી શકે છે. ભાજપ ગઠબંધનને 32 થી 36 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ પાર્ટી 18 થી 22 બેઠકો જીતી શકે છે. બીજી બાજુ NPF ને માત્ર 2 થી 6 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. જ્યારે 0 થી 4 બેઠકો અન્યના ખાતામાં જઈ શકે છે.
એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર મણિપુરમાં ભાજપને 40 ટકા મત મળવાની ધારણા છે. આ સિવાય 35 ટકા વોટ કોંગ્રેસને, 6 ટકા એનપીએફને અને 17 ટકા અન્યને મળવાની ધારણા છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બનેલા એન બીરેન સિંહ ચૂંટણીના એક વર્ષ પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, બિરેન સિંહ ઇબોબી સિંહની આગેવાનીવાળી સરકારમાં મંત્રી હતા.
મણિપુરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 21 બેઠકો પર જીતી હતી, પરંતુ પાર્ટી એન બિરેન સિંહના નેતૃત્વ હેઠળ પ્રથમ વખત રાજ્યની સત્તા કબજે કરવામાં સફળ રહી હતી. 28 બેઠકો જીત્યા બાદ પણ કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. આ સિવાય નાગા પીપલ્સ ફ્રન્ટને ચાર, નેશનલ પીપલ્સ પાર્ટીને પણ ચાર, ટીએમસી અને લોક જનશક્તિ પાર્ટીને એક બેઠક અને એક અપક્ષ ઉમેદવારને મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
