સાંપ્રદાયિક હિંસા માટે BJP-RSS જવાબદાર, વિપક્ષનો અવાજ પણ દબાવવામાં આવી રહ્યો છે - સોનિયા ગાંધી
સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને જવાબદાર ગણાવ્યા છે.
નવી દિલ્લીઃ રામનવમીના તહેવાર પર અને પછીથી દેશના ઘણા રાજ્યોમાં થયેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને જવાબદાર ગણાવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી અને આરએસએસ પર હુમલો કરીને કહ્યુ છે કે આજે દેશમાં નફરત, કટ્ટરતા, અસહિષ્ણુતા અને જૂઠની બોલબાલા જોવા મળી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આ સરકાર અને આરએસએસ મળીને દેશમાં જે નફરત ફેલાવી રહ્યા છે તે આ દેશને બરબાદ કરી દેશે.

ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક આર્ટિકલ દ્વારા સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આ દેશમાં જે સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ થઈ રહી છે તેના માટે સત્તારુઢ ભાજપની સરકાર અને આરએસએસ જવાબદાર છે. સોનિયા ગાંધીના આ આર્ટિકલનુ શીર્ષક છે 'નફરતના વાયરસ.'
શું લખ્યુ છે સોનિયા ગાંધીએ આર્ટિકલમાં?
સોનિયા ગાંધીએ લખ્યુ છે - 'ભારતની વિવિધતાઓનો સ્વીકાર કરવાની વાત કરનાર પ્રધાનમંત્રી આજે હિંસાને રોકવામાં નિષ્ફળ છે. આજે આ કઠોર વાસ્તવિકતા બની ચૂકી છે કે સદીઓથી જે વિવિધતાઓ આપણા સમાજને પરિભાષિત કરતી આવી રહી છે, તેમાં હવે બદલાવ કરવામાં આવી રહ્યા છે અને આપણને વહેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે.'
સોનિયા ગાંધીએ આ દરમિયાન સત્તા પક્ષ પર વિપક્ષી દળોના અવાજને દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ સ્થિતિ દેશમાં ઉન્માદ પેદા કરી શકે છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે ભારતને સ્થાયી ઉન્માદની સ્થિતિમાં રાખવાની આ વિભાજનકારી યોજનામાં કંઈક બીજુ પણ ઘાતક છે. સત્તામાં બેઠેલા લોકોની વિચારધારાના વિરોધમાં બધા અસંમતિવાળા મંતવ્યને બેરહેમીથી દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરીને કહ્યુ કે દરેક દેશવાસી ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી નફરતની કિંમત ચૂકવી રહ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે, 'ભારતની સાચી સંસ્કૃતિ સંયુક્ત ઉત્સવ, સમુદાય અને એકજૂટ રહેવાની છે. આવો આને બચાવવાનો સંકલ્પ લઈએ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
