સૈનિક બનીને દેશની સેવા કરવા ઈચ્છતા હતા મોદી પરંતુ આર્મી સ્કૂલમાં ન મળ્યો પ્રવેશ...
આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસ છે. દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની દરેક વાત નિરાળી છે.
આજે દેશના પીએમ નરેન્દ્ર મોદીને જન્મદિવસ છે. દેશની સત્તા પર રાજ કરનાર પીએમ મોદીની દરેક વાત નિરાળી છે. મોદી વિશે બધાને ખબર છે કે તે સન્યાસી બનીને હિમાલય પર જતા રહ્યા હતા પરંતુ તમારામાંથી ઘણા ઓછા લોકોને ખબર હશે કે મોદીજી બાળપણમાં સૈનિક બનવા ઈચ્છતા હતા અને આ કારણે તે ઈચ્છતા હતા કે તેમનો પ્રવેશ આર્મી સ્કૂલમા થઈ જાય જેના માટે તેમણે ઘણો પ્રયાસ પણ કર્યો પરંતુ વાત પૈસા પર આવીને અટકી ગઈ કારણકે મોદીના પિતા પાસે એ વખતે ફી ભરવા માટે એટલા પૈસા નહોતા જેટલી સ્કૂલવાળા ઈચ્છતા હતા અને આના કારણે મોદીજીનુ સૈનિક બનવાનુ સપનુ અધૂરુ રહી ગયુ.

સ્વામી વિવેકાનંદની ઘણી અસર મોદી પર
સમય વીતતો ગયો અને મોદીના સપના પણ મોટા થયા. નસીબે તેમના માટે કંઈક બીજુ જ લખ્યુ હતુ. તેમનુ અધ્યાત્મ તરફ વલણ ઝૂકવા લાગ્યુ. તે સ્વામી વિવેકાનંદને વાંચવા લાગ્યા અને તેનુ પરિણામ એ આવ્યુ કે આજે પીએમ મોદીના વ્યક્તિત્વમાં સ્વામી વિવેકાનંદના બતાવેલા સિદ્ધાંતોની અસર દેખાય છે.

મોદી પોતે બહુ સારા વક્તા અને કવિ છે...
મોદી બાળપણથી જ સાહિત્યમાં ઘણો રસ દાખવતા રહ્યા છે અને આના કારણે તેમના લેખન અને કવિતાઓ તરફ પણ તેમનુ ધ્યાન રહ્યુ છે. મોદી પોતે એક બહુ સારા વક્તા અને કવિ છે. તેમણે ગુજરાતી અને હિંદીમાં ઘણી કવિતાઓ લખી છે. એક પળ એવી પણ આવી હતી તેમના જીવનમાં જ્યારે તેમની ઈચ્છા અભિનય અને લેખન ક્ષેત્રમા ભાગ્ય અજમાવવાની હતી પરંતુ આવુ પણ પરિસ્થિતિના કારણે સંભવ બની શક્યુ નહિ.

આરએસએસે બદલી જિંદગી
ત્યારબાદ તેમણે આરએસએસ જોઈન કર્યુ જ્યાં તેમના વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા અને તે સંપૂર્ણપણે દેશ અને દેશના રાજકારણ વિશે વિચારવા લાગ્યા. આનુ પરિણામ એ આવ્યુ કે આજ મોદી પીએમ હોવા સાથે સાથે દેશના લોકપ્રિય નેતા પણ છે.

પીએમ મોદીએ રચ્યો ઈતિહાસ
પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખ્યો, પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી બાદ મોદી પૂર્ણ બહુમત સાથે સતત બીજી વાર સત્તાના શિખરે પહોંચનાર ત્રીજા પ્રધાનમંત્રી બન્યા, આ પહેલા તે ગુજરાતમાં ચાર વાર સીએમ પણ રહ્યા છે કે જે પણ પોતાના એક રેકોર્ડ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
