Bird Flu in 10 States: PM મોદીએ બર્ડ ફ્લુ માટે કર્યા એલર્ટ, હ્યુમન ટ્રાન્સમિશન માટે કહી આ વાત
રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે દેશના વિવિધ ભાગોમાં ફ્લુની વર્તમાન સ્થિતિને જોતા બધા રાજ્યોને આની રોકથામ માટે એલર્ટ આપી છે.
Bird Flu in 10 States Update News: કેન્દ્ર સરકારે કહ્યુ છે કે અત્યાર સુધી દેશના 10 રાજ્યોમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારે આ અંગે બધા રાજ્યો કે જ્યાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે તેને નિર્દેશ આપ્યા છે. સોમવારે દેશના વિવિધ ભાગોમાં સેંકડો પક્ષીઓના મોત થઈ ગયા છે. આ દરમિયાન સરકારે કહ્યુ છે કે બર્ડ ફ્લુના હ્યુમન ટ્રાન્સમિશન વિશે હાલમાં કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ નથી. એટલે કે પક્ષીઓથી માનવીમાં બર્ડ ફ્લુ ફેલાવાની સંભાવના નથી દેખાઈ રહી. સરકારે આને અટકાવવા માટે પ્રભાવિત રાજ્યોને કહ્યુ છે કે તે માંસ અને ઈંડાના વેચાણને પ્રતિબંધિત કરે અને પ્રવાસી પક્ષીઓ પર નજર રાખે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi)એ સોમવારે (11 જાન્યુઆરી)એ દેશના વિવિધ ભાગોમાં ફ્લુની વર્તમાન સ્થિતિને જોતા બધા રાજ્યોને આની રોકથામ માટે એલર્ટ આપી છે. પીએમ મોદીએ સ્થાનિક પ્રશાસનને જળાશયોની આસપાસ(water bodies), પ્રાણીસંગ્રહાલયો (zoos) અને મરઘાઉછેર કેન્દ્રો(poultry farms) પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે વન, સ્વાસ્થ્ય અને પશુપાલન વિભાગો વચ્ચે યોગ્ય સમન્વયના માધ્યમથી, 'આપણે જલ્દી આ પડકારોને પાર કરવામાં સક્ષમ થઈશુ.'
દિલ્લી, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રે સોમવારે બર્ડ ફ્લુના મામલાની પુષ્ટિ કરી છે. વળી, સાત રાજ્યો કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પહેલાથી જ બર્ડ ફ્લુ ફેલાઈ ચૂક્યો છે. પશુપાલન તેમજ ડેરી વિભાગે પણ એક નિવેદનમાં કહ્યુ છે કે 11 જાન્યુઆરી, 2021 સુધી દેશના 10 રાજ્યોમાં એવિયન ઈન્પ્લુએન્ઝાની પુષ્ટિ થઈ ચૂકી છે. અધિકારીઓએ કહ્યુ છે કે સંપૂર્ણપણે રાંધેલા ચિકનથી બર્ડ ફ્લુનુ કોઈ જોખમ નથી. તેમજ બાફેલા તેમજ પાકેલા ઈંડા ખાવાથી પણ બર્ડ ફ્લુના સંક્રમણનો કોઈ ડર નથી. સરકારના જણાવ્યા મુજબ બર્ડ ફ્લુનો વાયરસ ઉચ્ચ તાપમાનનો સામનો નથી કરી શકતો.
પ્રભાવિત રાજ્યોએ રાજ્યમાં મરઘા પાલન પર વ્યાપક રોક, જીવિત પક્ષીઓના બજારમાં આવવા પર પ્રતિબંધ અને ચિકન તેમજ સંબંધિત ખાદ્ય સામગ્રી પ્રતિબંધિત કરી દીધી છે. જો કે કેન્દ્ર સરકારે મંડીઓ અને પોલ્ટ્રી ઉત્પાદકોના વેચાણ પર રોક લગાવવાની મનાઈ કરી દીધી છે. કેન્દ્રએ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તે પૂરતા સંચાલન માટે પીપીઈ કિટ અને સહાયક સાધનોનો પૂરતો સ્ટૉક જાળવી રાખશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
