બીરભુમ હિંસા: કોલકાતા હાઇકોર્ટે મમતા સરકાર પાસે 24 કલાકમાં માંગ્યો સ્ટેટસ રિપોર્ટ
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત રીતે આઠ લોકોને જીવતા સળગાવવાના કેસમાં કલકત્તા હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે. બીરભૂમના રામપુરહાટમાં થયેલી હિંસા અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેતા, કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને આવતીકાલે ગુરુવા
પશ્ચિમ બંગાળના બીરભૂમમાં કથિત રીતે આઠ લોકોને જીવતા સળગાવવાના કેસમાં કલકત્તા હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે. બીરભૂમના રામપુરહાટમાં થયેલી હિંસા અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેતા, કલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને આવતીકાલે ગુરુવારે બપોરે 2 વાગ્યા સુધીમાં કોર્ટમાં ઘટનાનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે હિંસા પ્રભાવિત ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા અને જિલ્લા ન્યાયાધીશની હાજરીમાં ઘટના સ્થળ પર ચોવીસ કલાક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

કલકત્તા હાઈકોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે CFSL દિલ્હીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લે અને તપાસ માટે પુરાવા એકત્રિત કરે. આ સાથે કેસના પ્રત્યક્ષદર્શી સાક્ષીઓને ડીજી અને આઈજીપી વતી ડિસ્ટ્રિક્ટ જજની સલાહ લઈને સુરક્ષા આપવા માટે કહેવામાં આવ્યું છે.
સ્થાનિક ટીએમસી નેતાની કથિત હત્યા બાદ સોમવારે બીરભૂમ જિલ્લાના રામપુરહાટમાં અનેક ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લેતા ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને જસ્ટિસ રાજર્ષિ ભારદ્વાજની ડિવિઝન બેન્ચે આજે સુનાવણી કરી છે.
શું છે પુરો મામલો?
સોમવારે સાંજે રામપુરહાટ બ્લોક 1ના ડેપ્યુટી હેડ ભાદુ શેખની કથિત રીતે કેટલાક લોકોએ બોમ્બ ફેંકીને હત્યા કરી હતી. જ્યારે ટીએમસી નેતા શેખના મૃતદેહને વતન રામપુરહાટ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે અહીં હિંસા ફાટી નીકળી હતી. લોકોએ ઘણા ઘરોમાં તાળા મારીને આગ લગાવી દીધી હતી, જેમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
મમતા સરકાર ઘેરાઇ
આ સંદર્ભે પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. આ અંગે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ પ્રદર્શન પણ કર્યું હતું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે કહ્યું છે કે રાજ્ય હિંસા અને અરાજકતાની પકડમાં છે.રાજ્યપાલે રાજ્યના મુખ્ય સચિવ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે. તે જ સમયે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી ઘટના અંગે રિપોર્ટ પણ માંગ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
