પંજાબને મળશે 75 આમ આદમી ક્લીનિક, CM ભગવંત માને કહ્યુ - અહીં 100 મેડિકલ ચેકઅપ થશે ફ્રી
પંજાબમાં પહેલીવાર સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી સતત એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે.
પટિયાલાઃ પંજાબમાં પહેલીવાર સત્તામાં આવેલી આમ આદમી પાર્ટી સતત એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આપ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. દિલ્લીના મોહલ્લા ક્લિનિકની જેમ હવે પંજાબમાં પણ આમ આદમી ક્લિનિક ખોલવા જઈ રહી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને આની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ભગવંત માને કહ્યુ કે આ ક્લિનિક્સમાં 4-5 લોકોનો સ્ટાફ હશે. જ્યાં 100 મેડિકલ ટેસ્ટ મફતમાં કરવામાં આવશે. દર્દીઓને અહીં આ પરીક્ષણો સાથે 41 પેકેજ મફત આપવામાં આવશે.

ભગવંત માને ટ્વીટ કરીને લખ્યુ કે અમે વચન આપ્યુ હતુ તેમ, અમે આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર 75 આમ આદમી ક્લિનિક્સ પંજાબના લોકોને સમર્પિત કરીશુ. આજે મોહાલીમાં ક્લિનિકની મુલાકાત લીધી અને કાર્યોનુ નિરીક્ષણ કર્યુ. અમે ભવિષ્યમાં પણ પંજાબીઓને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સતત કામ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રીએ પોતે પાંચમા તબક્કામાં બનાવવામાં આવી રહેલા આમ આદમી ક્લિનિકની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે કેબિનેટ મંત્રી બ્રહ્મ શંકર અને રાજ્ય સરકારના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યુ કે આમ આદમી ક્લિનિક્સ રાજ્યભરના લોકોને વધુ સારી સારવારની સુવિધા પૂરી પાડશે. આ ક્લિનિક્સમાં MBBS ડૉક્ટર્સ, ફાર્માસિસ્ટ, નર્સ અને અન્ય સ્ટાફ સહિત 4-5 લોકો રહેશે. અહીં લોકોને 100 ક્લિનિકલ ટેસ્ટ સાથે મફત સારવાર આપવામાં આવશે. આ ક્લિનિક્સ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે. આનાથી રાજ્યની આરોગ્ય વ્યવસ્થામાં સુધારો થશે તેવુ માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ પોતે કહ્યુ હતુ કે આ દવાખાનાઓમાં 90 ટકા દર્દીઓની સારવાર કરવામાં આવશે. જેનાથી અન્ય હૉસ્પિટલોનો ભાર ઓછો થશે. આ સરકાર લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવા કટિબદ્ધ છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા આ ક્રાંતિકારી પગલુ લેવામાં આવ્યુ છે. આ ક્લિનિક્સમાં દર્દીઓને ઑનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા










Click it and Unblock the Notifications
