પટિયાલા ઈસ્ટ પંજાબ યુનિયન ટાઉનશિપ ડેવલપમેન્ટ બોર્ડનું પુનર્ગઠન કરાયુ, સીએમ ભગવંત માન અધ્યક્ષ.
પંજાબ સરકારે પટિયાલા ઈસ્ટ પંજાબ યુનિયન ટાઉનશિપ ડેવલપમેન્ટ બોર્ડનું પુનર્ગઠન કર્યુ છે. પુનર્ગઠન બાદ મુખ્યમંત્રી ભગવંત માનને અધ્યક્ષ બનાવાયા છે.
ચંદીગઢ : પંજાબ સરકારે પટિયાલા ઈસ્ટ પંજાબ યુનિયન ટાઉનશિપ ડેવલપમેન્ટ બોર્ડનું પુનર્ગઠન કર્યુ છે. પુનર્ગઠન બાદ મુખ્યમંત્રી ભગવંત માનને અધ્યક્ષ બનાવાયા છે. આ સિવાય મહેસૂલ અને સ્વચ્છતા મંત્રી બ્રહ્માશંકર ઝિમ્પાને વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમજ રાજપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય નીના મિત્તલને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ સિવાય રિતેશ બંસલ, ગુરવીર સિંહ સરાવ, સુમિત બક્ષી અને જતિન્દર વર્માને સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક 3 વર્ષના કાર્યકાળ માટે કરાઈ છે. સરકારના સભ્યો તરીકે ફાઇનાન્સ કમિશન પંજાબ અને ડેપ્યુટી કમિશન પટિયાલા ચુટાયા છે. જ્યારે રાજપુરાના એસડીએમ આ બોર્ડના સંચાલક રહેશે. આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ ઘટનાક્રમ બાદ મુખ્યમંત્રી ભગવંત માને પરાળી મુદ્દે કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા. ભગવંત માને કહ્યું કે, કેન્દ્ર સરકાર વાત વાતમાં પંજાબના ખેડૂતોને દોષી ઠેરવે છે. પંજાબે પરાળીના સ્થાયી સમાધાન માટે પ્રસ્તાવ આપ્યો પણ કેન્દ્ર સરકારે તેમાં મદદ ન કરી.
ભગવંત માને કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી પરાળી પર રાજનીતિ કરવામાં આવી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. કેન્દ્રની ભાજપ સરકાર મદદ કરવાને બદલે પંજાબના ખેડૂતોને બદનામ કરી રહી છે જ્યારે હરિયાણા-યુપીના શહેરો પ્રદૂષિત શહેરોની યાદીમાં છે. ભગવંત માને કહ્યું કે પાક લેતી વખતે પંજાબનો ખેડૂત અન્નદાતા બની જાય છે, જ્યારે અન્ન આપ્યા બાદ ખેડૂતોને સંભળાવવામાં આવે છે.
ભગવંત માને કહ્યું કે ખેડૂતોના આંદોલનને કારણે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહી છે. સીએમએ કહ્યું કે, પરાળીનો મુદ્દો ઘણા વર્ષોથી ગંભીર છે. પંજાબ સરકાર પણ તેને લઈને ચિંતિત છે, કેન્દ્ર સરકાર આ મુદ્દે દિલ્હી અને પંજાબ સરકારોને દરરોજ જુઠ્ઠું બોલી રહી છે.
મુખ્યમંત્રી માને કહ્યું કે, પંજાબે જે સૂચન કર્યું હતું તે પણ નકારી કાઢવામાં આવ્યું હતું. ભગવંત માને કહ્યું કે પંજાબનો ખેડૂત પોતે જ પરાળીને આગ લગાડવા ઈચ્છતો નથી. તે જાણે છે કે તેના ધુમાડાથી તેના પરિવાર, ગામ, રાજ્ય અને દેશને નુકસાન થાય છે. પંજાબ સરકારે ખેડૂતો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. હવે અમારી નવી સરકાર બની છે. અમે ધીમે ધીમે ખેડૂતોને જાગૃત કરીશું.












Click it and Unblock the Notifications
