ચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો
ગુજરાતમાં ચક્રવાતી વાયુ તોફાન પહેલા ભૂકંપ આવી ગયો. તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને પાલનપુરમાં લોકોએ ધરતીમાં કંપન અનુભવ્યું.
ગુજરાતમાં ચક્રવાતી વાયુ તોફાન પહેલા ભૂકંપ આવી ગયો. તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને પાલનપુરમાં લોકોએ ધરતીમાં કંપન અનુભવ્યું. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.3 માપવામાં આવી, જયારે હવામાન વિભાગ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે વિનાશકારી ચક્રવાત છેલ્લા 6 કલાકમાં પૂર્વી મધ્ય અરબ સાગરથી ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: સાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન

ચક્રવાતી તોફાન 'વાયુ'એ હવે પોતાની ચાલ બદલી
ચક્રવાતી તોફાન 'વાયુ'એ હવે પોતાની ચાલ બદલી દીધી છે, તે હવે ગુજરાતના કિનારેથી નહિ ટકરાય પરંતુ તે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યુ કે વાયુની ચાલ અને દિશામાં પરિવર્તન થયુ છે. હવે આ તોફાન વેરાવળ, પોરબંદર, દ્વારકા પાસેથી પસાર થશે જેનાથી આ વિસ્તારોમાં ભારે આંધી અને વરસાદ થશે. જો કે આ તોફાનથી જાન માલની આશંકાને જોતા સરકારે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે.

મુંબઈની 400 ફ્લાઈટ પર અસર
વાયુ ચક્રવાતને કારણે મુંબઈની 400 ફ્લાઈટ પર અસર પડી છે. ખરાબ હવામાનને કારણે બુધવારે મુંબઈથી ટેકઓફ કરનારી 194 અને લેન્ડિંગ કરનારી 192 ફ્લાઈટ લેટ થઇ, જયારે 2 ફ્લાઈટનો રુટ ડાઇવર્ટ કરવામાં આવ્યો. આજે બપોરે વાયુ ચક્રવાત સૌરાષ્ટ તટ પાસેથી પસાર થશે આ દરમિયાન હવાની સ્પીડ 135-160 કિલોમીટર પ્રતિ કલાક હશે
|
મુંબઈમાં હાઈટાઈડ એલર્ટ
વાયુ ચક્રવાતના ખતરાને જોતા પ્રશાશને ફૂડ પેકેટ પણ તૈયાર કર્યા છે, જેથી તેને જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડી શકાય. વાયુ ચક્રવાતને કારણે મુંબઈમાં હાઈટાઈડ એલર્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં 3.8 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે.

હેલ્પલાઈન નંબર પણ જાહેર
આ દરમિયાન લોકોની મદદ કરવા માટે જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યા છે અને લોકોને પોતાને સાવચેત રહેવા માટે કહ્યુ છે. ગુજરાતની અસર મહારાષ્ટ્ર પર પણ છે. અહીં પણ સમુદ્રમાં લહેરો ઉઠી રહી છે જેના કરાણે રાજ્યની બધા બીચોને 24 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
