હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત, 29 ભક્તોને સંક્રમિત કર્યા
હાથ પર ચૂંબન કરીને કોરોનાનો ઈલાજ કરતા બાબાનું કોરોનાથી મોત, 29 ભક્તોને સંક્રમિત કર્યા
રતલામઃ આખી દુનિયા કોરોના વાયરસનો ઇલાજ શોધવામાં વ્યસ્ત છે ત્યારે મધ્ય પ્રદેશના એક બાબા દાવો કરતા હતા કે તેઓ જે કોઈપના પણ હાથ પર ચુંબન કરી લે તેનું કોરોના વાયરસ કંઈ બગાડી નથી શકતો. પરંતુ હવે ખુદ આ બાબા જ કોરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યા છે અને કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું. એટલું જ નહિ જતાં- જતાં આ ઢોંગી બાબા પોતાના 29 ભક્તોને પણ કોરોના વાયરસનું સંક્રમણ આપી ગયા.

રતલામમાં રહે છે આ બાબા
સમગ્ર મામલો રતલામના નયાપુરાનો છે. અહીં રહેતા બાબા અનવર શાહ ઝાડ ફૂંકથી કોરોના ઠીક કરવાનો દાવો કરતા હતા. ખુદ બાબા અનવર શાહ 4 જૂને કોરોનાથી મૃત્યુ પામ્યા. રતલામ પ્રશાસને જ્યારે બાબાની કોન્ટેક્ટ હિસ્ટ્રી ચકાશી તો કેટલાય લોકોના નામ સામે આવ્યાં જેઓ સતત બાબાના સંપર્કમા હતા.

રતલામમાં કોરોનાના 85 કેસ
આ યાદીમાં કેટલાય વ્હાઈટ કોલર લોકો પણ સામેલ છે, જેઓની મુશ્કેલી હવે વધી ગઈ છે. બાબાએ 21થી વધુ ભક્તોને સંક્રમિત કર્યા. પ્રશાસને તરત સાવચેતી વરતતા ઝાડ ફૂંક કરનાર બે ડઝનથી વધુ બાબાઓને તરત ક્વોરેન્ટાઇન કરી લીધા છે. જણાવી દઈએ કે રતલામમાં કોરોનાના સંક્રમણનો આંકડો વધીને 85 સુધી પહોંચી ગયો છે. આમાં મોટી સંખ્યા ઝાડ-ફૂંક કરતા આવા બાબાઓના ભક્તોની છે. આ આંકડો હવે વધવાની આશંકા છે. એવામાં સિટી એસડીએમ લક્ષ્મી ગામડે જનતાને આવા બાબાઓથી દૂર રહેવાની અપીલ કરી છે.

ઝાડ ફૂંકી પાણી પીવડાવતા હતા
62 વર્ષીય અનવર શાહ ઝાડ ફૂંકી ઈલાજ અને તમામ સમસ્યાનું સમાધાનનો દાવો કરતા હતા. તેઓ પતાના ભક્તોને ફૂંકીને પાણી પીવડાવતા હતા અને ભક્તો તેમના હાથ પર ચુંબન કરતા હતા. બાબા ખુદ ક્યારે અને કેવી રીતે સંક્રમિત થઈ ગયા કોઈને ખબર ના પડી. તેમની સાથોસાથ 29 ભક્તોમાં પણ કોરોના વાયરસ ફેલાઈ ગયો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
