અયોધ્યા કેસઃ SCમાં વકીલ બોલ્યા- રામલલ્લા સગીર, સંપત્તિ પર કબ્જો ન કરી શકાય
સીનિયર વકીલ સી એસ વૈદ્યનાથને કોર્ટને કહ્યુ કે અયોધ્યાના ભગવાન રામલલ્લા સગીર છે. આના કારણે સગીરની સંપત્તિ પર ના તો કબ્જો કરી શકાય અને ના વેચી શકાય.
અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે સુપ્રીમ કોર્ટમાં ડે-ટુ-ડે સુનાવણી થઈ રહી છે. સુનાવણીના 9માં દિવસે રામલલ્લા વિરાજમાન તરફથી ચર્ચાની શરૂઆત કરવામાં આવી. સીનિયર વકીલ સી એસ વૈદ્યનાથને કોર્ટને કહ્યુ કે અયોધ્યાના ભગવાન રામલલ્લા સગીર છે. આના કારણે સગીરની સંપત્તિ પર ના તો કબ્જો કરી શકાય અને ના વેચી શકાય. તેમણે દલીલ રજૂ કરતા કહ્યુ કે જન્મસ્થળ જો દેવતા છે તો કોઈ પણ એ જમીન પર બાબરી મસ્જિદ હોવાના આધારે દાવો ન કરી શકે.

‘જન્મસ્થળ પોતાનામાં દેવતા'
વકીલ સી એસ વૈધનાથને કહ્યુ કે જો ત્યાં મંદિર હતુ અને લોકો પૂજા કરે છે તો કોઈ પણ એ જમીન પર પોતાનો દાવો ન કરી શકે કારણકે જન્મસ્થળ પોતાનામાં એક દેવતા છે. તેમણે દલીલ કરતા આગળ કહ્યુ કે જો એ માની લેવામાં આવે કે ત્યાં કોઈ મંદિર નથી, કોઈ દેવતા નથી તેમછતા પણ લોકોનો વિશ્વાસ બહુ છે કે રામ જન્મભૂમિ પર જ ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં મૂર્તિ રાખવી એ સ્થળને પવિત્રતા આપે છે.

‘રામલલ્લા સગીર છે'
તેમણે આગળ કહ્યુ કે અયોધ્યાના ભગવાન રામલલ્લા સગીર છે. સગીરની સંપત્તિને ના તો વેચી શકાય અને ના છીનવી શકાય. જ્યારે સંપત્તિ ભગવાનમાં સમાયેલી હોય તો કોઈ પણ એ સંપત્તિને લઈ શકે નહિ. એ સંપત્તિ પાસેથી ઈશ્વરનો હક ન છીનવી શકાય અને આવી સંપત્તિ પર એડવર્સ પઝેશનનો કાયદો લાગુ નહિ થાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે પુરાતત્વ વિભાગના ખોદકામમાં મળેલા પુરાવા કોર્ટ સમક્ષ રાખવામાં આવ્યા. રામલલ્લા વિરાજમાન તરફથી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા કે મસ્જિદથી પહેલા એ જગ્યાએ મંદિરનું અસ્તિત્વ હતુ.

‘જમીનની નીચે સ્ટ્રક્ચર મળ્યા છે'
મંગળવારે વકીલ વૈદ્યનાથને કહ્યુ હતુ કે, પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ જમીનની નીચે મંદિરના સ્ટ્રક્ચર મળ્યા છે. ઈલાહાબાદ હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં પુરાતત્વ વિભાગના રિપોર્ટ પર ભરોસો કર્યો છે. રામલલ્લા તરફથી ઉદાહરણ આપતા કહેવામાં આવ્યુ કે આજના સમયમાં લોકો ફ્લાઈટ લઈને સવારે સબરીમાલાના દર્શન માટે જાય છે અને સાંજે પાછા આવી જાય છે પરંતુ રામ જન્મભૂમિ માટે શ્રદ્ધાળુઓ ઘણી સદીઓથી દર્શન માટે જાય છે જ્યારે એ સમયે નદીની ઉપર કોઈ બ્રિજ પણ નહોતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
