કેજરીવાલઃ મોદી-શાહના સત્તામાં પાછા આવવા માટે રાહુલ ગાંધી હશે જવાબદાર
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો.
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો. કેજરીવાલે કહ્યુ કે જો મોદી-શાહ સત્તામાં પાછા આવશે તો તેના માટે જવાબદાર રાહુલ ગાંધી હશે. તેમણે રાહુલ પર કટાક્ષ કરતા કહ્યકે અમે પૂછવા ઈચ્છીએ છીએ કે ટ્વિટર પર કયુ ગઠબંધન બન્યુ છે? અરવિંદ કેજરીવાલે આ પહેલા આમ આદમી પાર્ટીના દિલ્લીમાં લોકસભા ચૂંટણી માટે ઘોષણાપત્ર જાહેર કર્યુ.
|
રાહુલે કેજરીવાલ પર યુ ટર્નનો લગાવ્યો હતો આરોપ
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 15 એપ્રિલા રોજ ટ્વીટ કરીને કેજરીવાલ પર યુ ટર્ન લેવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે કોંગ્રેસ અને આપના ગઠબંધનનો અર્થ છે ભાજપનો સફાયો. આ સુનિશ્ચિત કરવા માટે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને દિલ્લીની ચાર સીટો આપવા તૈયાર છે પરંતુ કેજરીવાલે ફરીથી યુ ટર્ન લઈ લીધો. અમારા દરવાજા હજુ પણ ખુલ્લા છે પરંતુ સમય જઈ રહ્યો છે.

મોદી-શાહને હરાવવા માટે બધુ કરીશુ
દિલ્લીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરતી વખતે કેજરીવાલે એ પણ કહ્યુ કે તેમની પાર્ટી ભાજપ અને મોદી-શાહની જોડીને રોકવા માટે બધુ કરશે. તેમણે આગળ કહ્યુ કે તે ચૂંટણી બાદ કોઈ પણ મહાગઠબંધનને સપોર્ટ આપવા માટે તૈયાર છે. કેજરીવાલે પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કર્યા બાદ કહ્યુ કે અમે મોદી-શાહની જોડીને રોકવા માટે બધુ કરીશુ. અમે કોઈ મહાગઠબંધનને સપોર્ટ કરીશુ. વર્ષ 2019ની ચૂંટણી દેશને બચાવવા માટે છે. બંધારણને બચાવવા માટે છે. આપણે પહેલા ભારતીય છે ત્યારબાદ હિંદુ-મુસ્લિમ. કેજરીવાલે કહ્યુ કે અમારુ ફોકસ દિલ્લીને પૂર્ણ રાજ્ય બનાવવા પર છે. અમે દિલ્લીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે લડીશુ.

અમિત શાહ પર સાધ્યુ નિશાન
પાર્ટીના સંયોજક કેજરીવાલે ભાજપના પ્રમુખ અમિત શાહ પર એ નિવેદન માટે પ્રહાર કર્યો જેમાં તેમણે કહ્યુ હતુ કે હિંદુઓ, સિખો અને બૌદ્ધોને છોડીને બધા ઘૂસણખોરોને હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યુ કે અમિત શાહના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપની યોજના આ ત્રણ ધર્મોને છોડીને અન્ય બધા ધર્મોને હટાવવાની છે. વર્ષ 2019ની ચૂંટણ દેશ અને લોકતંત્રને બચાવવાની એક રીત છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ દેશની એકતાને પડકારી રહી છે અને સંસ્કૃતિ પર હુમલા કરી રહી છે. તેમણે આગળ કહ્યુ કે અમારી એકતાને પડકારવામાં આવી રહી છે. દેશને ત્યારે જ બચાવી શકાશે જ્યારે અમે ધર્મ અને જાતિના આધારે વિભાજિત નહિ થઈએ. દિલ્લીમાં 7 લોકસભા સીટો છે જેના પર 12 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
