કલમ 370: POk રાષ્ટ્રપતિ બોલ્યા, ભારત સાથે યુદ્ધ જ એક વિકલ્પ
જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આર્ટિકલ 37૦ નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી પાડોશી દેશ પાકિસ્તાન સતત તેની બોખલાહટ બતાવી રહ્યુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન સહિતના તમામ મંત્રીઓ અને નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આર્ટિકલ 37૦ નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી પાડોશી દેશ પાકિસ્તાન સતત તેની બોખલાહટ બતાવી રહ્યુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન સહિતના તમામ મંત્રીઓ અને નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ સરદાર મસુદ ખાને કાશ્મીર વિશે મોટું નિવેદન આપ્યું છે. સરદાર મસુદ ખાને કહ્યું કે હવે કાશ્મીરને આઝાદ કરવા માટે યુદ્ધનો એકમાત્ર વિકલ્પ બાકી છે.

યુદ્ધ એકમાત્ર વિકલ્પ
સરદાર મસુદ ખાને કહ્યું કે, હવે જમ્મુ-કાશ્મીરને ભારતથી મુક્ત કરવા માટે યુદ્ધનો વિકલ્પ જ બચ્યો છે. હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પી.ઓ.કે.ના મીરપુર ખાતેના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિક્લેટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝમાં આયોજીત એક સંમેલનમાં બોલતા સરદાર મસૂદ ખાને કહ્યું કે આ યુદ્ધમાં આખો દેશ પાકિસ્તાનની સાથે મળીને ઉભા રહીને ચાલવા તૈયાર છે.

શાહે PoKને ગણાવ્યો ભારતનો હીસ્સો
સરદાર મસુદ ખાને કહ્યું કે ભારત વિરૂદ્ધ યુદ્ધ પહેલા આપણે દેશમાં એકતા ઉભી કરવાની જરૂર છે અને આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રમાં પાકિસ્તાનને મજબુત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આ યુદ્ધને જીતવા માટે દુશ્મનોની યોજનાઓને સંપૂર્ણ રીતે સમજવી પડશે, તે મુજબ આપણે આ યુદ્ધ માટે વ્યૂહરચના બનાવવાની જરૂર છે. જણાવી દઈએ કે તાજેતરમાં સંસદમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે પીઓકે પણ ભારતનો એક ભાગ છે.

370 ખત્મ કર્યા બાદથી આપી રહ્યા છે ધમકીઓ
નોંધપાત્ર વાત એ છે કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. વળી, રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. ભારત સરકારના આ નિર્ણય બાદ સરદાર મસુદ ખાને કહ્યું કે આ હુમલો માત્ર કાશ્મીર પર જ નહીં પણ આઝાદ કાશ્મીર પર પણ છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કલમ 37૦ નાબૂદ કરવામાં આવી હોવાથી ભારત આઝાદ કાશ્મીર પર કબજો મેળવવાની અને કબજો કરવાની ધમકી આપી રહ્યો છે.

આ પહેલાં પણ આપી હતી ધમકી
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના કોઈ નેતાએ ભારત પર હુમલો કરવાની આવી ધમકી આપી હોય. આ પહેલા ઈમરાન ખાને પણ ભારતને ધમકી આપી હતી. એટલું જ નહીં રેલ્વે મંત્રી શેખ રાશિદે કહ્યું હતું કે પાકિસ્તાન એક પાઉં જેટલો જ પરમાણુ બનાવવા માટે તૈયાર છે અને સમય આવશે ત્યારે તેનો ઉપયોગ ભારત સામે કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
