રાફેલ ડીલ અંગે અનિલ અંબાણીએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો
રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત બીજેપી પર હુમલો કરતા રહે છે. રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાનો લગાવ્યો છે.
રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત બીજેપી પર હુમલો કરતા રહે છે. રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાનો લગાવ્યો છે. રાહુલ ગાંધી સતત કહેતા આવ્યા છે કે પીએમ મોદીએ અનિલ અંબાણી ગ્રૂપને રાફેલ ડીલ ઘ્વારા ફાયદો પહોંચાડ્યો છે, જયારે અનિલ અંબાણી ઘ્વારા એક પત્ર લખીને તેમના આરોપોનો જવાબ આપવામાં આવ્યો છે.
વાંચો: જેને સાઇકલ નથી બનાવી તેને પીએમે રાફેલ કોન્ટ્રાક્ટ આપ્યો

રાહુલ ગાંધીને પત્ર લખીને જવાબ આપ્યો
અંબાણી ઘ્વારા પોતાના પત્રમાં જણાવવામાં આવ્યું કે કેટલાક સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ લોકોએ કોંગ્રેસને ખોટી માહિતી આપી અને રાફેલ મામલે ગુમરાહ કરવાનું કામ કર્યું. અંબાણી ઘ્વારા પત્રમાં એવા આરોપો પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ પહેલા પણ અનિલ અંબાણીએ 12 ડિસેમ્બર 2017 દરમિયાન રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો જેમાં તેમને જણાવ્યું હતું કે રિલાયન્સ સમૂહને આ ડીલ એટલા માટે મળી કારણકે તેમની પાસે ડિફેન્સ શિપ બનાવવાનો અનુભવ છે.

45 હજાર કરોડના ફાયદાનો જવાબ
જયારે બીજા પત્રમાં અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાફેલ વિમાનનું નિર્માણ રિલાયન્સ ઉદ્યમ ઘ્વારા નહીં કરવામાં આવે. આ બધા જ 36 વિમાનોનું 100 ટકા ઉત્પાદન ફ્રાન્સમાં થશે. ત્યારપછી તેને ફ્રાન્સથી ભારત લાવવામાં આવશે. 45 હજાર કરોડના ફાયદાનો જવાબ આપતા અનિલ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભારત ઘ્વારા ખરીદવામાં આવેલા 36 વિમાનના કોઈ પણ કમ્પોનન્ટનું નિર્માણ રિલાયન્સ ઘ્વારા નહીં કરવામાં આવે.

અંબાણીએ જણાવ્યું કે ઉપજાવેલી કહાની બનાવવામાં આવી છે
અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફાયદો કરાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે તે કેટલાક સ્વાર્થી તત્વો અને કોર્પોરેટ લોકો ઘ્વારા ઉપજાવેલી કહાની છે. ભારત સરકાર સાથે રિલાયન્સ નો કોઈ પણ કોન્ટ્રાક્ટ નથી થયો. રિલાયન્સ ડિફેન્સના આરોપો પર અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડિસેમ્બર 2014 - જાન્યુઆરી 2015 દરમિયાન રિલાયન્સ સમૂહ ઘ્વારા ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ફિલ્ડમાં ઉતારવા અંગે એલાન કરવામાં આવ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
