ઓમિક્રૉનના જોખમથી અલાહાબાદ હાઈકોર્ટ પણ ચિંતિત, ચૂંટણી ટાળવાની પીએમને કરી અપીલ
દેશમાં જે રીતે એક વાર ફરીથી કોરોના સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે તેને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
પ્રયાગરાજઃ દેશમાં જે રીતે એક વાર ફરીથી કોરોના સંક્રમણનુ જોખમ વધી રહ્યુ છે તેને લઈને અલાહાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે આગામી વિધાનસભા ચૂંટણીને થોડા મહિના ટાળવા માટે પણ ચૂંટણી આયોગને અપીલ કરી છે. સાથે જ હાઈકોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વાત પર વિચાર કરવા માટે કહ્યુ છે. અલાહાબાદ હાઈકોર્ટે રાજકીય પક્ષોને પણ અપીલ કરી છે કે તે ચૂંટણી પ્રચાર માટે રેલીઓ ના કરે અને ટીવી તેમજ સમાચાર પત્રોના માધ્યમથી જ પ્રચાર કરે.

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટીસ શેખર કુમાર યાદવે આ વાત આરોપી સંજય યાદવની જામીન અરજીનો સ્વીકાર કરવા દરમિયાન કરી. તેમણે કહ્યુ કે આજે હાઈકોર્ટમાં ચારસો કેસ સૂચિબદ્ધ છે. આ જ પ્રકારના કેસની સંખ્યા રોજ થાય છે. સુનાવણી દરમિયાન વકીલ નજીક ઉભા રહે છે અને કોરોના પ્રોટોકૉલનુ પાલન થતુ નથી. ઓમિક્રૉનનુ જખમ વધી રહ્યુ છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. એટલુ જ નહિ લગભગ છ હજાર કેસ સામે આવી રહ્યા છે. સતત સંક્રમણના કેસ વધી રહ્યા છે. ઘણા દેશો ચીન, નેધરલેન્ડ, આયરલેન્ડ, જર્મની, સ્કૉટલેન્ડે આંશિક લૉકડાઉન પણ લગાવી દીધુ છે. ગઈ લહેરાં દેશમાં લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. ગ્રામ પંચાયત ચૂંટણી, પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા.
નોંધનીય વાત એ છે કે યુપીમાં આવતા મહિને ચૂંટણીની તારીખોનુ એલાન થઈ શકે છે. રાજકીય દળો લાખોની ભીડ એકઠી કરી રહ્યા છે અને રેલીઓ કરી રહ્યા છે. એવામાં ત્રીજી લહેરનુ જોખમ સતત વધી રહ્યુ છે. જેને જોઈને હાઈકોર્ટે ચૂંટણી કમિશનને અનુરોધ કર્યો છે કે તે આ પ્રકારની રેલીઓ અને ભીડ એકઠી થવા પર રોક લગાવે. આ સંભવ ના હોય તો ચૂંટણીને એક-બે મહિના માટે ટાળી દે, જીવન રહેશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ થતી રહેશે. જીવનનો અધિકાર દેશના બંધારણમાં આર્ટિકલ 21માં પણ આપવામાં આવ્યો છે. પીએમ મોદીની પ્રશંસા કરીને કોર્ટે કહ્યુ કે તેમણે દેશમાં આટલુ મોટુ મફત રસીકરણ અભિયાન ચલાવ્યુ, અમારી તેમને અપીલ છે કે કડક પગલાં લે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
