ગણેશ વિસર્જનના દિવસે તમામ દુકાનો બંધ રહેશે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે.
પૂણે : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે. જો કે, આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવશે. કોરોના મહામારીને જોતા મહારાષ્ટ્ર સરકારે ગણેશ વિસર્જન પર આ નિર્ણય લીધો છે. કોરોનાની ત્રીજી લહેરને જોતા તબીબોએ તહેવારોની સિઝનમાં ભીડ ન વધારવા કહ્યું છે. આથી રાજ્ય સરકારે સાવચેતી રાખીને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજીત પવારે પણ કહ્યું છે કે, રેસ્ટોરા અને હોટલ ખુલ્લા રહેશે. લોકડાઉન પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક રહેશે. 10 દિવસનો ગણેશ ચતુર્થીનો તહેવાર, જેમાં સામાન્ય રીતે લાખો લોકો શહેરના રસ્તાઓ પર ઉમટી પડે છે.
કોરોના મહામારીની ત્રીજી લહેરને જોતા મહારાષ્ટ્રમાં ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. સમુદાયના પંડાલોમાં ભક્તોનો ધસારો ઘટાડવા માટે ઘણા મંડળોએ તેમના અધિકારીઓ દ્વારા તેમની મૂર્તિઓના ઓનલાઈન 'દર્શન' અથવા ટેલિકાસ્ટની વ્યવસ્થા કરી છે. સરકારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે લોકોને અપીલ કરી છે.
આ અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકોનું સ્વાસ્થ્ય કોઈપણ તહેવાર કરતાં વધુ મહત્વનું છે અને નાગરિકોને કોરોનાવાયરસના તમામ નિયમોનું પાલન કરવા કહ્યું હતું. મુંબઈમાં પોલીસે CrPC ની કલમ 144 હેઠળ 10 થી 19 સપ્ટેમ્બર વચ્ચે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
આ સમય દરમિયાન શહેરમાં કોઈપણ પ્રકારની શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવશે નહીં અને ભક્તોને ગણેશ પંડાલોમાં પણ જવા દેવામાં આવશે નહીં, જ્યારે ગૃહ વિભાગે પંડાલોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો છે, ભગવાન ગણેશની મૂર્તિઓની ઉંચાઈ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
