વાયુસેનાએ જૈશની છાવણીઓ પર કર્યો હુમલો, મોટી સંખ્યામાં આતંકીઓ ઠારઃ વિદેશ સચિવ
ભારતના આ એર સ્ટ્રાઈકની જાણકારી આપતા વિદેશ સચિવ વી કે ગોખલેએ મીડિયાને સંબોધિત કરી.
પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખાની અંદર ઘૂસીને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના બાલાકોટમાં બોમ્બ ફેંક્યા. ભારતના આ એર સ્ટ્રાઈકની જાણકારી આપતા વિદેશ સચિવ વી કે ગોખલેએ મીડિયાને સંબોધિત કરી અને કહ્યુ કે પાકિસ્તાનની જાણકારી વિના પુલવામામાં આતંકી હુમલો સંભવ નથી. વિદેશ સચિવે કહ્યુ કે છેલ્લા 2 દશકોથી જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં સક્રિય છે અને જૈશે ભારતીય જવાનો પર હુમલા કરાવ્યા. પાકિસ્તાનની જાણ બહાર આ સંભવ નથી.

તેમણે કહ્યુ કે ભારતીય વાયુસેનાએ એલઓસીની અંદર ઘૂસીને આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા કર્યા. તેમણે કહ્યુ કે ભારતે બાલાકોટમાં હાજર જૈશ એ મોહમ્મદના કેમ્પો પર હુમલા કર્યા. આ હવાઈ હુમલામાં જૈશ એ મોહમ્મદના ટ્રેનર અને આતંકવાદી મોટી સંખ્યામાં ઠાર મરાયા છે.
મીડિયાને સંબોધિત કરતા વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યુ કે જૈશ એ મોહમ્મદ પાકિસ્તાનમાં બે દશકથી સક્રિય છે. જૈશે સંસદ પર હુમલા કર્યા, પઠાણકોટ એરબેઝ પર હુમલા કર્યા. આ ઉપરાંત ઘણી વાર જવાનોને નિશાન બનાવવામાં આવ્યા. પાકિસ્તાન હંમેશાથી આનાથી ઈનકાર કરતુ આવ્યુ છે. પુલવામા હુમલો પણ જૈશે કર્યો અને પાકિસ્તાનની જાણ બહાર નથી કર્યો.
#WATCH: Foreign secretary Vijay Gokhale briefs the media in Delhi https://t.co/Th0TjwO99o
— ANI (@ANI) 26 February 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
