અમદાવાદથી ગુવાહાટી પહોંચેલી સ્પાઈસજેટ ફ્લાઈટના બે યાત્રીઓ કોરોના પૉઝિટીવ
સ્પાઈસજેટની ફ્લાઈટથી યાત્રા કરનાર બે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આ ફ્લાઈટ અમદાવાદથી દિલ્લી થઈને ગુવાહાટી પહોંચી હતી.
સ્પાઈસજેટની ફ્લાઈટથી યાત્રા કરનાર બે વ્યક્તિનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. આ ફ્લાઈટ અમદાવાદથી દિલ્લી થઈને ગુવાહાટી પહોંચી હતી. એરલાઈન તરફથી બુધવારે બે યાત્રીઓનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવવાની માહિતી આપવામાં આવી છે. જણાવવામાં આવ્યુ છે કે 25 મેના રોજ બંને મુસાફરોએ સ્પાઈસ જેટની ફ્લાઈટથી મુસાફરી કરી હતી. હવે બંને મુસાફોના સંપર્કમાં આવેલ લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

સ્પાઈસજેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે પૉઝિટીવ મળી આવેલ મુસાફરોએ એસજી-8194 (અમદાવાદ-દિલ્લી) અને એસજી-8152(દિલ્લી-ગુવાહાટી) ફ્લાઈટમાં યાત્રા કરી હતી. ગુવાહાટી પહોંચ્યા બાદ યાત્રીઓના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમને ક્વૉરંટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. તેમનો તપાસ રિપોર્ટ 27મેના રોજ આવ્યો. આ યાત્રીઓ પાસે જેમની સીટ હતી તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
ઈન્ડિગોની ફ્લાઈટનો એક યાત્રી પણ કોરોના પૉઝિટીવ ઈન્ડિયોની ફ્લાઈટમાં સફર કરનાર એક વ્યક્તિ પણ કોરોના પૉઝિટીવ આવી ચૂક્યો છે. ઈન્ડિગોના વિમાનમાં 25મેની સાંજે ચેન્નઈથી કોઈમ્બતૂરની ઉડાનમાં સવાર યાત્રી કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સરકાર પાસેથી પરવાનગી મળ્યા બાદ દેશમાં 25 મેથી ઘરેલુ ઉડાનો શરૂ થઈ છે. લૉકડાઉનના કારણે લગભગ 2 મહિના બાદ ઉડાનો શરૂ થઈ છે.
વળી, કોરોના વાયરસના ખતરો દેશ અને દુનિયામાં સતત વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 6566 નવા કેસ સામે આવ્યા છે અને 194 લોકોના મોત થયા છે. ત્યારબાદ દેશભરમાં કુલ કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 158333 થઈ ગઈ છે અને અત્યાર સુધી 4531 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યારે 86,110 સક્રિય કેસ છે એટલે કે આ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, 67, 692 લોકો અત્યાર સુધી સંક્રમણ બાદ રિકવર થઈ ચૂક્યા છે અને તે હોસ્પિટલથી ઘરે જઈ ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
