ભાજપમાં ઘમાસણ: વારાણસી બાદ લખનઉ સીટને લઇને છેડાયો વિવાદ
નવી દિલ્હી, 10 માર્ચ: ભાજપમાં મોટા નેતાઓની સીટને લઇને મચેલા ઘમાસાણનું કોઇ સમાધાન નિકળ્યું નથી, પરંતુ આ દરમિયાન વારાણસીના હાલના સાંસદ અને વરિષ્ઠ ભાજપના નેતા મુરલી મનોહર જોશી નરમ પડતાં જોવા મળી રહ્યાં છે. મુરલી મનોહર જોશીએ સીટને લઇને કોઇપણ પ્રકારના વિવાદથી મનાઇ કરી દિધી છે અને કહ્યું કે જે નિર્ણય હશે તે પાર્ટીના પીએમ પદના ઉમેદવારની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે, તો બીજી તરફ નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે કે નહી, તે હજુ સ્પષ્ટ નથી.
બીજી તરફ સીટને લઇને મચેલું ઘમાસાણ હવે વારાણસીથી લખનઉ પહોંચી જશે. વારાણસી સીટ પર નરેન્દ્ર મોદી અને મુરલી મનોહર જોશીને લઇને અસમંજસના વાદળ દૂર થય નથી કે નવો વિવાદ લખનઉ સીટને લઇને ઉભો થઇ ગયો છે. લખનઉથી ભાજપના સાંસદ લાલજી ટંડને કહ્યું કે આ સીટને લઇને કારણ વિના વિવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. હું નરેન્દ્ર મોદીનું સંપૂર્ણપણે સમર્થન કરું છું.
પાર્ટીનો નિર્ણય મને મંજૂર છે અને લખનઉ સિવાય બીજે ક્યાંયથી હું દાવેદાર નથી. આ પહેલાં એવા સમાચાર આવી રહ્યાં હતા કે લખનઉથી પાર્ટીના સાંસદ લાલજી ટંડન નારાજ હોવાનું કહેવામાં આવતું હતું. જો કે લાલજી ટંડને સ્પષ્ટ કરી દિધું હતું કે તે નરેન્દ્ર મોદી માટે પોતાની સીટ છોડવા માટે તૈયાર છે અને તે ઇચ્છે તો લખનઉથી ચૂંટણી લડી શકે છે. ચર્ચા એ વાત પણ થઇ રહી છે કે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ પોતાની ગાજિયાબાદ સીટ છોડીને લખનઉથી ઉમેદવાર બની શકે છે.

મુરલી મનોહર જોશીનું મૌન
માનવામાં આવે છે કે મુરલી મનોહર જોશીએ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો અને પોતાની મૌન તોડતાં કહ્યું કે કોણ ચૂંટણી લડશે તેના પર નિર્ણય સંસદીય બોર્ડને કરવાનો છે જે બેઠક ગુરૂવારે થવાની છે. તેમણે અહી સંવાદદાતાઓને કહ્યું હતું કે સંસદીય બોર્ડને નિર્ણય કરવાનો છે. બેઠક (સીઇઓની) 13 માર્ચના રોજ થઇ રહી છે. તેમની આશાઓ તથા વારાણસીથી નરેન્દ્ર મોદીની ચૂંટણી લડવાની તેમની સહમતિ વિશે વારંવાર પૂછવામાં આવતાં મુરલી મનોહર જોશીએ કોઇ જવાબ આપ્યો નહી.

મુરલી મનોહર જોશીને વારાણસી સીટ છોડવી પડશે?
તેમણે કહ્યું કે આ અંગે પાર્ટી નિર્ણય કરશે જે ના તો આપણા વડાપ્રધાન પદના ઉમેદવારની પ્રતિષ્ઠા પર આંચ આવવા દેશે ના તો પાર્ટીને જીતની સંભાવનાઓ સાથે સમજૂતી કરશે. સૂત્રોએ કહ્યું હતું કે કેટલાક સભ્યોએ સ્પષ્ટીકરણની માંગ કરી શું મુરલી મનોહર જોશીને વારાણસી સીટ છોડવી પડશે અને નરેન્દ્ર મોદી ત્યાંથી ચૂંટણી લડશે. સમજી શકાય કે સ્વંય મુરલી મનોહર જોશી અને વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે આ મુદ્દો ઉઠાવ્યો.

પાર્ટીમાં કોઇ મનભેદ નથી
સુષમા સ્વરાજે એ વાતને મનાઇ કરી દિધી કે આ મુદ્દે પાર્ટીમાં કોઇ મનભેદ નથી. તેમણે કહ્યું હતું કે દિલ્હીની બેઠકમાં હું હાજર હતી. ઉત્તર પ્રદેશની લોકસભા સીટોનો વિષય ચર્ચા દરમિયાન ઉદભવ્યો ન હતો જેમ કે મીડિયામાં સમાચારો આવી રહ્યાં છે.

યુવાનોને તક મળવી જોઇએ
ભૈયાજી જોશીએ કહ્યું હતું કે આ વસ્તુઓ અંગે નિર્ણય પાર્ટી કરે છે. જો કોઇ વ્યક્તિ પોતાનું મંતવ્ય રાખવા માંગે છે તો તેમાં કંઇ ખોટું નથી. શું લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓને ચૂંટણી લડવી જોઇએ, આ અંગે સંઘનું વલણ પૂછવામાં આવે સંઘના નેતાએ કહ્યું હતું કે સંઘ પાર્ટીને નિર્દેશ આપી ન શકે, ફક્ત ભાવનાથી માહિતગાર કરાવી શકે. જો કે તેમણે કહ્યું હતું કે યુવાનોને તક મળવી જોઇએ જેથી તે પોતાની ઉર્જાનો ઉપયોગ રાષ્ટ્રની સેવામાં કરી શકે.

વારણસીમાં ' પોસ્ટર વોર'
આ સાથે જ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શનનો પણ લાભ મળવો જોઇએ. ગત વખતે વારાણસી સીટ પરથી ચૂંટણી જીતનાર મુરલી મનોહર જોશીએ કહ્યું હતું કે પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિ 13 માર્ચના રોજ નિર્ણય કરશે. તેમણે નરેન્દ્ર મોદી અને તેમના સમર્થકો વચ્ચે વારણસીમાં ' પોસ્ટર વોર'ના સમાચારોને મીડિયાની ઉપજ ગણાવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
