મણિપુર: જીરીબામમાં 6 લોકોના મૃતદેહ મળ્યા બાદ ફરી હિંસા ભડકી, CMના ઘર પર હુમલાનો પ્રયાસ
Manipur violence:મણિપુરમાં ફરી એક વખત હિંસા ભળકી ઉઠી છે, 15 નવેમ્બરની રાત્રે મણિપુર-આસામ સરહદ પર જીરી અને બરાક નદીના સંગમ નજીક ત્રણ મૃતદેહો મળ્યા બાદ અશાંતિ ફાટી નીકળી હતી.
જીરીબામ જિલ્લામાં તાજેતરમાં ત્રણ લોકોની હત્યા માટે ન્યાયની માંગણી કરી રહેલા ટોળાએ શનિવારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય મણિપુરના ઈમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના ઘર પર બદમાશોએ હુમલો કર્યો હતો.
ઇમ્ફાલ પશ્ચિમ વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં અનિશ્ચિત કર્ફ્યુ લગાવ્યો છે. ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા મેજિસ્ટ્રેટ ટી કિરણકુમારે તે જ દિવસે સાંજે 4:30 વાગ્યાથી કર્ફ્યુ જારી કર્યો હતો. આ કાર્યવાહીનો હેતુ વધુ અશાંતિ અટકાવવાનો અને વિસ્તારમાં વ્યવસ્થા જાળવવાનો હતો.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ટોળાએ લામ્ફેલ સનાકેથેલ વિસ્તારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપમ રંજનના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું હતું.
લેમ્ફેલ સનાકેથેલ ડેવલપમેન્ટ ઓથોરિટીના ડેવિડે જણાવ્યું હતું કે, "સપમે અમને ખાતરી આપી હતી કે કેબિનેટની બેઠકમાં ત્રણ લોકોની હત્યા સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને જો સરકાર જનતાની લાગણીનું સન્માન કરવામાં નિષ્ફળ જશે તો મંત્રી રાજીનામું આપશે."
ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી
સગોલબંદમાં વિરોધીઓ ભાજપના ધારાસભ્ય આરકે ઈમોના ઘરની બહાર એકઠા થયા હતા. આરકે ઈમો મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈ છે. ભીડે સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા અને 24 કલાકમાં હત્યા માટે જવાબદાર લોકોની ધરપકડ કરવાની માંગ કરી.બીજી તરફ ઈમ્ફાલ વેસ્ટ, ઈમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર, થૌબલ, કાકચિંગ, કાંગપોકપી અને ચુરાચંદપુર - સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ અને ડેટા સેવાઓ શનિવાર સાંજથી બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
અપક્ષ ધારાસભ્યની ઓફિસને બનાવી નિશાન
દરમિયાન વિરોધીઓ તિદ્દિમ રોડ પર અપક્ષ ધારાસભ્ય સપમ નિશિકાંત સિંહના ઘરે એકઠા થયા હતા. જ્યારે તેમને ખબર પડી કે સિંઘ રાજ્યની બહાર છે, ત્યારે તેમણે તેમનું ધ્યાન તેમની ઓફિસ તરફ વાળ્યું અને તેમની ઓફિસ પાસે તોડફોડ કરી હતી.
એક અઠવાડિયાથી હતા ગુમ
જિરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોના મૃતદેહો મળી આવ્યા ત્યારે અશાંતિ શરૂ થઈ હતી. આમાં એક મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે, જેઓ જીરીબામ જિલ્લાના બોરોબેકરાથી લગભગ 16 કિલોમીટર દૂર મળી આવ્યા હતા, જ્યાંથી તેઓ આ અઠવાડિયાની શરૂઆતમાં ગુમ થયા હતા.
અપહરણ બાદ હત્યાનો આરોપ
ગૃહ મંત્રાલયે સુરક્ષા દળોને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના નિર્દેશ આપ્યા છે. જિરીબામ જિલ્લામાંથી સશસ્ત્ર આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સહિત છ નાગરિકોનું અપહરણ કરીને કથિત રીતે હત્યા કરી હોવાના અહેવાલો પછી આ નિર્દેશ આપવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
