434 દિવસ બાદ બીએસ યેદિયુરપ્પાએ ફરી કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા
434 દિવસ બાદ બીએસ યેદિયુરપ્પાએ ફરી કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પડી ભાંગી અને એચડી કુમારસ્વામીના રાજીનામા બાદ બીએસ યેદિયુરપ્પાએ શુક્રવારે ચોથી વખત કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. અગાઉ તેમણે 17 મે 2018ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી, પરંતુ વિધાનસભામાં બહુમત ન હોાના પગલે માત્ર બે દિવસમાં જ એટલે કે 19 મેના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હવે 434 દિવસ બાદ ફરીથી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બની ગયા છે.

પાછલી વખતે બીએસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ કોંગ્રેસ અને જેડીએસે મળી કર્ણાટકમાં ગઠબંધનની સરકાર બનાવી હતી. એચડી કુમારસ્વામીએ 23 મે 2018ના રોજ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. જો કે આ સરકાર માત્ર 14 મહિના જ ચાલી શકી અને કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત ન મળવાને કારણે સરકાર પડી ભાંગી. જે બાદ કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું.
મંગળવારે જ્યારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસમત રજૂ કરવામાં આવ્યું ત્યારે કુમારસ્વામીના પક્ષમાં માત્ર 99 વોટ જ પડ્યા જ્યારે વિરુદ્ધમાં 105 વોટ પડ્યા. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર પડ્યા બાદ ભાજપ કાર્યાલયમાં જશ્નનો માહોલ છે. કુમારસ્વામીના રાજીનામા બાદ બીએસ યેદિયુરપ્પાનું મુખ્યમંત્રી બનવું નક્કી માનવામાં આવી રહ્યું હતું.
જણાવી દઈએ કે બીએસ યેદિયુરપ્પા ત્રણ વખત કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. તેઓ કર્ણાટકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે. તેમને કર્ણાટકની રાજનીતિમાં ભાજપનો સૌથી મોટો ચેહરો માનવામાં આવે છે. યેદિયુરપ્પાએ પોતાની રાજનૈતિક સફર તાલુકા અધ્યક્ષ તરીકે શરૂ કરી હતી જે બાદ તેઓ આગળ વધતા રહ્યા.
યેદિયુરપ્પા સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને એક વખત લોકસભા પણ પહોંચ્યા. તેઓ કર્ણાટક વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પણ રહી ચૂક્યા છે. જો કે વિવાદો સાથે પણ તેમનો ગાઢ સંબંધ હ્યો, જેને પગલે તેમણે પોતાના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે તેમ છતાં તેઓ ભાજપના વિશ્વાસુ ચેહરા તરીકે ઉભરી આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
