આફતાબના પરિવારે 15 દિવસ પહેલા છોડ્યુ મુંબઇ નજીકનુ ઘર, જતા સમયે શું કહ્યું?
શ્રદ્ધા-આફતાબ કેસમાં આફતાબનો પરિવાર તેની મદદથી 15 દિવસ પહેલા મુંબઈ નજીક એક ઘર છોડી ગયો છે. અહેવાલ મુજબ આફતાબનો પરિવાર 15 દિવસ પહેલા મુંબઈ નજીકનું પોતાનું ઘર છોડીને ગયો હતો. આફતાબે પરિવારને ઘર છોડવામાં મદદ કરી હતી. 26 વર્
શ્રદ્ધા-આફતાબ કેસમાં આફતાબનો પરિવાર તેની મદદથી 15 દિવસ પહેલા મુંબઈ નજીક એક ઘર છોડી ગયો છે. અહેવાલ મુજબ આફતાબનો પરિવાર 15 દિવસ પહેલા મુંબઈ નજીકનું પોતાનું ઘર છોડીને ગયો હતો. આફતાબે પરિવારને ઘર છોડવામાં મદદ કરી હતી. 26 વર્ષની શ્રદ્ધા અને આફતાબ ડેટિંગ એપ બમ્બલ દ્વારા સંપર્કમાં આવ્યા હતા.

પોતાના ઘરે જ હતો આફતાબ
લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાના પરિવારે લગભગ પખવાડિયા પહેલા મુંબઈ નજીકનું તેમનું ઘર છોડી દીધું હતું. પડોશીઓએ જણાવ્યું કે આફતાબ પરિવારને ઘર છોડીને બીજી જગ્યાએ જવા માટે મદદ કરવા માટે તેના ઘરે હતો.

લગ્ન માટે દબાણ કરી રહી હતી શ્રદ્ધા
તમને જણાવી દઈએ કે 28 વર્ષીય આફતાબ પર કથિત રીતે તેમના લિવ-ઈન પાર્ટનરની તેમના દિલ્હીના ઘરે હત્યા કરવાનો આરોપ છે. રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. હત્યા બાદ શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા અને 18 દિવસમાં શરીરના અંગોને અલગ-અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા. આફતાબની શનિવારે ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે તેણે જઘન્ય હત્યાની કબૂલાત કરી છે.

આઘાતમાં છે સોસાયટીના લોકો
આફતાબના પરિવારના પડોશીઓએ જણાવ્યું કે તે તાજેતરમાં જ તેમના ઘરે આવ્યો હતો અને "સામાન્ય" વર્તન કરતો હતો. તેણે જણાવ્યુ હતુ કે તે શ્રદ્ધાને જાણે છે જે આફતાબના ઘરે ઘણી વખત આવી છે. NDTVના અહેવાલમાં હાઉસિંગ સોસાયટીના ચેરમેન રામદાસ કેવતે જણાવ્યું હતું કે, "આફતાબનો પરિવાર આ સોસાયટીમાં લગભગ 20 વર્ષથી રહે છે. તે અહીં જ મોટો થયો છે." તેમણે કહ્યું કે હત્યા બાદ તે ઊંડો આઘાતમાં છે.

આફતાબના પિતાએ શું કહ્યું?
રિપોર્ટ અનુસાર, આફતાબના પિતા મુંબઈમાં નોકરી કરે છે. પાડોશીઓનું કહેવું છે કે જ્યારે તેઓએ ઘર છોડવાનું કારણ પૂછ્યું તો પિતાએ કહ્યું કે તેઓ મુંબઈ જઈ રહ્યા છે. સોસાયટીના સેક્રેટરી અબ્દુલ્લા ખાને જણાવ્યું હતું કે, "આફતાબના નાના ભાઈને તાજેતરમાં મુંબઈમાં નોકરી મળી છે. જ્યારે મેં તેના પિતાને પૂછ્યું કે તે શા માટે જઈ રહ્યા છે, તો તેમણે કહ્યું કે તે અને તેમનો નાનો પુત્ર બંને મુંબઈમાં કામ કરે છે." તેથી તેઓ શહેર જઇ રહ્યાં છે."
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
