AAP, TMC અને CPI(M) નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે, જાણો કેમ?
28 મેંના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને સાઈડમાં કરીને ખુદ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે વિપક્ષો આકરા પ્રહાર કરી રહ્યા છે. પીએમ મોદીની આપખુદશાહીથી ત્રસ્ત વિપક્ષી પાર્ટીઓ હવે આ ઉદ્ઘઘાટનનો વિરોધ કરવા જઈ રહી છે
CPIM એ જાહેરાત કરી છે કે, તે 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનો બહિષ્કાર કરશે. સીપીઆઈએમના રાજ્યસભા સાંસદ ડો.જોન બ્રિટાસે આ વાતની પુષ્ટિ કરી છે.

બીજી તરફ સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, વડાપ્રધાન રાષ્ટ્રપતિને બાયપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિને બાયપાસ કરીને તેનો પાયો નાખ્યો હતો અને હવે તેનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી.
યેચુરીએ કહ્યું કે બંધારણના અનુચ્છેદ 79 મુજબ, સંઘની સંસદ હશે, જેમાં એક રાષ્ટ્રપતિ અને બે ગૃહો હશે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બોલાવે ત્યારે જ સંસદની બેઠક મળી શકે છે.
રાષ્ટ્રપતિ દ્વારા સામાન્ય ગૃહને સંબોધન કર્યા પછી જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે.આ સિવાય આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. બંને પક્ષોએ મંગળવારે જાહેરાત કરી છે કે તેઓ નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે.
અહીં તેમણે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 79 મુજબ સંઘની સંસદ હશે અને તેમાં એક રાષ્ટ્રપતિ અને બે ગૃહો હશે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બોલાવે ત્યારે જ સંસદની બેઠક મળી શકે છે. રાષ્ટ્રપતિ સામાન્ય ગૃહને સંબોધન કરે પછી જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે
માત્ર સીપીએમ જ નહીં આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. બંને પક્ષોએ મંગળવારે જાહેરાત કરી છે કે તે નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે.
આ મુદ્દે વાત કરતા ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, સંસદ એ માત્ર નવી ઇમારત નથી પરંતુ આપણી જૂની પરંપરા, મૂલ્યો, તે ભારતના લોકતંત્રનો પાયો છે, પરંતુ પીએમ મોદી આ સમજતા નથી. તેમના માટે સંસદના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માત્ર હું, મારૂ છે. તેથી અમે આમાં ભાગ લઈશું નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
